રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યા વધી, રાજ્યમાં 4768 એક્ટિવ કેસ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 596 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 604 દર્દીઓ સાજા થયા છે. જો કે આજે રાજ્યમાં કોરોનાથી કોઇ દર્દીનું મોત થયું નથી. આ સાથે કોરોનાનો રિકવરી રેટ ઘટીને 98.74 ટકા થઈ ગયો છે. રાજ્યમાં આજે 4768 એક્ટિવ કેસ છે. જેમાંથી 08 દર્દીની હાલત ગંભીર થતા તેમને વેન્ટિલેટર પર અપાયા છે. જ્યારે 4760 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,27,605 દર્દીઓ મ્હાત
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 596 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 604 દર્દીઓ સાજા થયા છે. જો કે આજે રાજ્યમાં કોરોનાથી કોઇ દર્દીનું મોત થયું નથી. આ સાથે કોરોનાનો રિકવરી રેટ ઘટીને 98.74 ટકા થઈ ગયો છે.
રાજ્યમાં આજે 4768 એક્ટિવ કેસ છે. જેમાંથી 08 દર્દીની હાલત ગંભીર થતા તેમને વેન્ટિલેટર પર અપાયા છે. જ્યારે 4760 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,27,605 દર્દીઓ મ્હાત આપી ચુક્યાં છેરાજ્યમાં આજે કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. તેને અર્થ એમ નથી કે કોરોનાનો ખતરો ઘટી ગયો છે. હાલ પણ રાજ્યમાં કોરોનાના કેસ 500 થી વધુ આવી રહ્યા છે. સાવચેતી નહીં રાખો તો આ અંકડો વધી પણ શકે છે.
રાજ્યમાં અહીં આટલા કેસ
આજે પણ સૌથી વધુ કેસ અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 203 કેસ સામે આવ્યા છે. સુરત કોર્પોરેશનમાં 58, વડોદરા કોર્પોરેશનમાં 47, ગાંધીનગર કોર્પોરેશનમાં 16, ભાવનગર કોર્પોરેશનમાં 13, રાજકોટ કોર્પોરેશનમાં 12 અને જામનગર કોર્પોરેશનમાં 2 દર્દીઓ સાજા થયા છે. જ્યારે મહેસાણામાં 39, બનાસકાંઠામાં 37, કચ્છમાં 32, ગાંધીનગરમાં 21, સુરત 16, આણંદમાં 12, વલસાડમાં 10, મોરબીમાં 8, વડોદરામાં 7, અમરેલીમાં 6, દેવભૂમિ દ્વારકામાં 6, નવસારીમાં 6, અમદાવાદમાં 5, રાજકોટમાં 5, સાબરકાંઠામાં 5, અરવલ્લીમાં 4, પંચમહાલમાં 4 પોરબંદરમાં 4, ભરૂચમાં 3, ગીર સોમનાથમાં 3, સુરેન્દ્રનગરમાં 3, ખેડામાં 2, પાટણમાં 2, તાપીમાં 2, ભાવનગરમાં 1, દાહોદમાં 1 અને જામનગરમાં 1 કેસ નોંધાયો છે.
રાજ્ય રસીકરણમાં પણ મોખરે
રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 788ને રસીનો પ્રથમ અને 1,355 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 7,818 લોકોને પ્રીકોર્શન ડોઝ આપવામાં આવ્યો છે. 12-14 વર્ષના લોકો પૈકી 1,113 ને રસીનો પ્રથમ અને 2,289 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-59 વર્ષના લોકોને 55,455 પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 11,25,67,196 રસીના ડોઝ આપવામાં આવ્યો છે.
Advertisement