Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રંકને પણ રાજા બનાવી દે તેવી છે શનિદેવની કૃપા, આ કાર્યો કરવાથી પ્રાપ્ત થશે તેમના આશિર્વાદ

જ્યોતિષમાં દરેક ગ્રહનું પોતાનું મહત્વ છે. શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે. શનિદેવ વ્યક્તિના સારા અને ખરાબ કાર્યોનો હિસાબ રાખે છે અને તે પ્રમાણે ફળ આપે છે. જેઓ સારા કાર્યો કરે છે તેને શુભ ફળ મળે છે અને જે ખરાબ...
રંકને પણ રાજા બનાવી દે તેવી છે શનિદેવની કૃપા  આ કાર્યો કરવાથી પ્રાપ્ત થશે તેમના આશિર્વાદ

જ્યોતિષમાં દરેક ગ્રહનું પોતાનું મહત્વ છે. શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે. શનિદેવ વ્યક્તિના સારા અને ખરાબ કાર્યોનો હિસાબ રાખે છે અને તે પ્રમાણે ફળ આપે છે. જેઓ સારા કાર્યો કરે છે તેને શુભ ફળ મળે છે અને જે ખરાબ કાર્યો કરે છે તેને અશુભ ફળ મળે છે. શનિ વિશે એવી માન્યતા છે કે જ્યારે શનિદેવ કોઈના પર ગુસ્સે થાય છે તો તેને પોતાના સિંહાસન પરથી જમીન પર લાવવામાં સમય નથી લાગતો, અને જો તે પ્રસન્ન થઇ જાય તો જાતક પૈસામાં રમે છે. . આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે શનિદેવની શુભ દ્રષ્ટિ તેમના પર રહે. જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને જલ્દી પ્રસન્ન કરવા માટે કેટલાક મહત્વપૂર્ણ ઉપાય જણાવવામાં આવ્યા છે.

Advertisement

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે લોકો ઉદારતાથી દાન કરે છે તેમના પર શનિ હંમેશા પ્રસન્ન રહે છે. આ માટે જે વ્યક્તિ ત્રીજના દિવસે ગરીબ અને જરૂરિયાતમંદોને દાન કરે છે, તેમની મદદ કરે છે, તેને શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. જણાવી દઈએ કે જે લોકો સાચા મનથી ગરીબોને કાળા ચણા, કાળા તલ, અડદની દાળ અને કપડા વગેરેનું દાન કરે છે તેમના પર શનિદેવની હમેંશા કૃપા રહે છે.

આ રીતે મેળવો શનિદેવના આશીર્વાદ

Advertisement

એવી માન્યતા છે કે પોતાના પર શનિદેવની છત્રછાયા બનાવી રાખવા માટે કાળી છત્રી જરૂરિયાતમંદોને દાન કરો.

કૂતરાઓની સેવા કરો

Advertisement

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે લોકો કૂતરાઓની સેવા કરે છે તેમના પર શનિદેવ હંમેશા પ્રસન્ન રહે છે. એવું કહેવાય છે કે જે લોકો કૂતરાઓને ભોજન આપે છે અને તેમને પરેશાન કરતા નથી તેમના કષ્ટ શનિદેવ દૂર કરે છે. આવી સ્થિતિમાં જો તમે શનિદેવના પ્રકોપથી બચવા માંગતા હોવ તો કુતરાઓને પ્રેમ કરો અને તેમની સેવા કરો.

અંધને મદદ કરો

શનિદેવને પ્રસન્ન કરવા માટે અંધજનોની મદદ કરવી વિશેષ માનવામાં આવે છે. જેઓ અંધ લોકોને માર્ગ બતાવીને મદદ કરે છે, અન્ય કોઈપણ રીતે મદદ કરે છે વગેરેથી શનિદેવ પ્રસન્ન થાય છે અને તેમને જીવનમાં સફળતા અને પ્રગતિ આપે છે.

શનિવારે ઉપવાસ

એવું માનવામાં આવે છે કે જે લોકો પર શનિદેવની કૃપા હોય છે, તેમના અનાજના ભંડાર હંમેશા ખુલ્લા રહે છે, જે લોકો શનિવારનો ઉપવાસ કરે છે અને ગરીબોને ભોજન વગેરેનું દાન કરે છે, તેમના પર શનિ હંમેશા કૃપા કરે છે. એટલું જ નહીં આ લોકો માટે ધનની કોઈ કમી નથી.

માછલીને ખવડાવો

શનિદેવને પ્રસન્ન કરવા માછલીઓને ખવડાવો. તેનાથી શનિ ઝડપથી પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

Tags :
Advertisement

.