તહેવારોની સિઝન આવી અને દેશમાં કોરોનાના કેસ ઘટ્યા, આજે નોંધાયા માત્ર આટલા જ કેસ
દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે દેશ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. જીહા, હાલમાં તહેવારોની સિઝન શરૂ થઇ છે ત્યારે કોરોનાના કેસની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. સોમવારની સરખામણીએ આજે પણ દેશમાં કોરોનાના દૈનિક કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. આ પછી, આજે દેશમાં કોરોનાના લગભગ 1,500 નવા કેસ નોંધાયા છે.આજે સવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલàª
દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે દેશ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. જીહા, હાલમાં તહેવારોની સિઝન શરૂ થઇ છે ત્યારે કોરોનાના કેસની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. સોમવારની સરખામણીએ આજે પણ દેશમાં કોરોનાના દૈનિક કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. આ પછી, આજે દેશમાં કોરોનાના લગભગ 1,500 નવા કેસ નોંધાયા છે.
આજે સવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 1,542 નવા કેસ નોંધાયા છે જ્યારે 8 લોકોના મોત થયા છે. અગાઉ સોમવારે દેશમાં કોરોના સંક્રમણના 2,060 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 10 લોકોના મોત થયા હતા. ગઈકાલની સરખામણીમાં નવા સંક્રમિત દર્દીઓની દૈનિક સંખ્યામાં 518 નો ઘટાડો થયો છે. આજે 1,919 લોકો કોરોના વાયરસને હરાવવામાં સફળ થયા છે. આ સાથે દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા ઘટીને 26,449 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસની સંખ્યામાં 386નો ઘટાડો થયો છે. આ સાથે દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 4,46,32,430 થઈ ગઈ છે. જ્યારે સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,40,77,068 થઈ ગઈ છે. વળી, દેશમાં કોરોના વાયરસના ચેપને કારણે અત્યાર સુધીમાં કુલ 5,28,913 લોકોના મોત થયા છે.
Advertisement
#COVID19 | India reports 1,542 fresh cases and 1,919 recoveries in the last 24 hours.
Active cases 26,449
Daily positivity rate 0.68% pic.twitter.com/6xP6zqpBVX— ANI (@ANI) October 18, 2022
આરોગ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. હવે દેશમાં રિકવરી રેટ વધીને 98.76 ટકા થઈ ગયો છે. વળી, સક્રિય કેસોમાં કુલ ચેપના 0.06 ટકાનો સમાવેશ થાય છે. સરકાર કોરોના વાયરસને કાબૂમાં લેવા રસીકરણ પર ભાર આપી રહી છે. અત્યાર સુધીમાં રસીકરણની સંખ્યા 2,19,37,66,738 થઈ ગઈ છે. વળી, છેલ્લા 24 કલાકમાં 4,23,087 લોકોને કોરોના રસીનો ડોઝ આપવામાં આવ્યો છે.