મહાઠગ Kiran Patel ને જમ્મુથી અમદાવાદ લવાયો, જુઓ Video
મહાઠગ કિરણ પટેલને લઈને અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમ શુક્રવારે મોડી રાત્રે 2 વાગ્યાના અરસામાં અમદાવાદ લઈ આવી હતી. સિંધુભવન રોડ પર આવેલો 15 કરોડનો બંગલો પચાવી પાડવાના કેસમાં અમદાવાદ ક્રાઈમબ્રાંચ જમ્મુ કાશ્મીર પોલીસ પાસેથી કિરણ પટેલને ટ્રાન્સફર વોરંટના આધારે અમદાવાદ લાવી છે.
કિરણ પટેલે પોતે PMO ઓફિસરની ઓળખ આપીને અનેક લોકોને ઠગ્યા હતા જમ્મુ કાશ્મીરમાં પોતે આવી ખોટી ઓળખ આપીને Z સિક્યોરિટિ પણ મેળવી હતી. એક સમયે પોલીસની સુરક્ષાના તામજામ ભોગવતો કિરણ પટેલ હવે એક સામાન્ય કેદીની જેમ પોલીસથી ઘેરાયેલો છે હવે તેને ક્રાઈમબ્રાંચના આકરા સવાલોનો સામનો કરવો પડશે.
ક્રાઈમ બ્રાન્ચે અત્યાર સુધીમાં કિરણ પટેલની પત્ની માલિની અને આર્કિટેકની પૂછપરછ કરી ચુકી છે હવે આ કેસના માસ્ટર માઈન્ડ કિરણ પટેલની હવે પુછરપરછ થશે. જેમાં અનેક નવા નામો ખુલે તો નવાઈ નહી પોલીસ પુરાવાના આધારે હવે આગળ નવા કેસ નોંધવાની કાર્યવાહી પણ કરશે.
અમદાવાદ ક્રાઈમ બ્રાંચ કિરણ પટેલને ગુરૂવારે ટ્રાન્સફર વોરન્ટના આધારે અમદાવાદ લાવવા માટે રવાના થઈ હતી જે આશરે 36 કલાકની મુસાફરી કરીને ગત રાત્રીના 2 વાગ્યે અમદાવાદ પહોંચી હતી.
કિરણ પટેલે PMO ઓફિસનો અધિકારી હોવાનું કહીને સરકારી કર્મચારીઓને છેતર્યા, એટલું જ નહીં અધિકારીઓ સાથે મીટિંગ પણ કરી હતી. કિરણ પટેલે ઘણા રાજ્યોના લોકોને છેતર્યા હોવાનું પણ જાણવા મળે છે. રાજસ્થાનના એક મોટા કોંગ્રેસના નેતાને પણ 30 લાખનો ચૂનો ચોપડ્યો હોવાનું બહાર આવ્યું છે. કિરણ પટેલ અમદાવાદના ઘોડાસર વિસ્તારનો રહેવાસી છે અને અત્યાર સુધી તે જમ્મુ કાશ્મીર પોલીસની કસ્ટડીમાં હતો હવે તે ગુજરાત પોલીસની કસ્ટડીમાં છે.