Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

508 રેલવેસ્ટેશનોના પુનઃર્વિકાસ માટેનો શિલાન્યાસ 6 ઓગસ્ટે કરશે PM MODI, 24,470 કરોડ રૂપિયાથી વધુનો કરાશે ખર્ચ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 6 ઓગસ્ટના રોજ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દેશભરના 508 રેલવે સ્ટેશનોના પુનર્વિકાસ માટે શિલાન્યાસ કરવા જઈ રહ્યા છે. આ પુનઃવિકાસ કાર્ય અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ કરવામાં આવશે. આ યોજના હેઠળ દેશભરમાં કુલ 1309...
05:12 PM Aug 04, 2023 IST | Vishal Dave

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 6 ઓગસ્ટના રોજ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દેશભરના 508 રેલવે સ્ટેશનોના પુનર્વિકાસ માટે શિલાન્યાસ કરવા જઈ રહ્યા છે. આ પુનઃવિકાસ કાર્ય અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ કરવામાં આવશે. આ યોજના હેઠળ દેશભરમાં કુલ 1309 સ્ટેશનનો પુનઃર્વિકાસ થવાનો છે.

કેટલો ખર્ચ થશે ?
આ યોજના હેઠળ વડા પ્રધાન નરેન્દ્ર મોદી 508 રેલવે સ્ટેશનોના પુનઃવિકાસ કાર્યને પૂર્ણ કરવા માટે શિલાન્યાસ કરશે. આ અંતર્ગત કુલ ખર્ચ 24,470 કરોડ રૂપિયાથી વધુ થશે. શહેરની બંને બાજુના યોગ્ય સંકલન સાથે આ સ્ટેશનોને 'સિટી સેન્ટર્સ' તરીકે વિકસાવવા માટે માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે.

કેટલા રેલવે સ્ટેશન રિડેવલપ થશે ?
આ 508 સ્ટેશનો 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલા છે, જેમાં ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં 55-55, બિહારમાં 49, મહારાષ્ટ્રમાં 44, પશ્ચિમ બંગાળમાં 37, મધ્ય પ્રદેશમાં 34, આસામમાં 32, ઓડિશામાં 25, પંજાબમાં 22, ગુજરાત અને તેલંગાણામાં 21-21, ઝારખંડમાં 20,આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં 18-18, હરિયાણામાં 15 અને કર્ણાટકમાં 13 સ્ટેશનો શામેલ છે.

આ રેલ્વે સ્ટેશનો કેવી રીતે પુનઃવિકાસ કરવામાં આવશે ?

આ રેલવે સ્ટેશનો આધુનિક મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવશે. આ સાથે જ સારી રીતે ડિઝાઇન કરાયેલી ટ્રાફિક સુવિધા સાથે, ઇન્ટર મોડલ રજીસ્ટર્ડ અને સારી રીતે ડિઝાઇન કરવામાં આવે છે.. સ્ટેશનની ઇમારતોની ડિઝાઇન સ્થાનિક સંસ્કૃતિ, વારસો અને સ્થાપત્યથી પ્રેરિત હશે. આ રેલ્વે સ્ટેશન જે તે શહેર કે સ્થળની સુંદરતાને પ્રદર્શિત કરશે. ભારતીય રેલ્વે અત્યાધુનિક જાહેર પરિવહનની જોગવાઈ પર ભાર મૂકે છે. રેલવે એ દેશભરના લોકોના પરિવહનની પસંદગીનું માધ્યમ છે. આવી સ્થિતિમાં રેલવે સ્ટેશનો પર વર્લ્ડ ક્લાસ સુવિધાઓ ઉમેરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

Tags :
Augustlay foundationpm modirailway stationsredevelopmentspentStone
Next Article