Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દિવાળીના તહેવારે દેશમાં કોરોનાના નોંધાયા માત્ર આટલા જ કેસ, 16 લોકોના મોત

દેશમાં આજે કોરોનાને લઇને રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. દિવાળી પહેલા દેશમાં આજે કોરોનાના લગભગ 1300 નવા કેસ નોંધાયા છે. રવિવારની સરખામણીએ દેશમાં કોરોનાના દૈનિક કેસોમાં થોડો ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 1,334 નવા કેસ નોંધાયા છે. જ્યારે 16 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ પહેલા રવિવારે દેશમાં કોરોના સંક્રમણના 1,994 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 4 લોકોના મોત થયા છે. ગઈકાલની સરખામણીએ નàª
06:01 AM Oct 24, 2022 IST | Vipul Pandya
દેશમાં આજે કોરોનાને લઇને રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. દિવાળી પહેલા દેશમાં આજે કોરોનાના લગભગ 1300 નવા કેસ નોંધાયા છે. રવિવારની સરખામણીએ દેશમાં કોરોનાના દૈનિક કેસોમાં થોડો ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 1,334 નવા કેસ નોંધાયા છે. જ્યારે 16 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ પહેલા રવિવારે દેશમાં કોરોના સંક્રમણના 1,994 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 4 લોકોના મોત થયા છે. ગઈકાલની સરખામણીએ નવા સંક્રમિત દર્દીઓની દૈનિક સંખ્યામાં 660 નો ઘટાડો થયો છે.
આજે સવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના 1,334 નવા કેસ નોંધાયા છે જ્યારે 16 લોકોના મોત થયા છે. આ દરમિયાન 1,557 લોકો કોરોના વાયરસને હરાવવામાં સફળ થયા. આ સાથે દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા ઘટીને 23,193 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોની સંખ્યામાં 239 નો ઘટાડો નોંધાયો છે. આ સાથે દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 4,46,44,081 થઈ ગઈ છે. જ્યારે સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,40,91,906 થઈ ગઈ છે. વળી, દેશમાં કોરોના વાયરસના ચેપને કારણે અત્યાર સુધીમાં કુલ 5,28,977 લોકોના મોત થયા છે.

આરોગ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. હવે દેશમાં રિકવરી રેટ વધીને 98.76 ટકા થઈ ગયો છે. વળી, સક્રિય કેસોમાં કુલ ચેપના 0.05 ટકાનો સમાવેશ થાય છે. સરકાર કોરોના વાયરસને કાબૂમાં લેવા રસીકરણ પર ભાર આપી રહી છે. અત્યાર સુધીમાં રસીકરણની સંખ્યા 2,19,56,41,807 થઈ ગઈ છે. વળી, છેલ્લા 24 કલાકમાં 42,864 લોકોને કોરોના રસીનો ડોઝ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો - દેશમાં આજે કોરોનાથી 4 લોકોના થયા મોત, નોંધાયા માત્ર આટલા કેસ
Tags :
CoronaUpdateCoronaVirusCovid19Covid19UpdateDeathGujaratFirstvaccine
Next Article