Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દેશમાં આજે કોરોનાના કેસમાં સામાન્ય વધારો, 15 લોકોના થયા મોત

આજે વૈશ્વિક મહામારી કોરોનાના મોરચે ભારત માટે રાહતના સમાચાર છે. જોકે, આજે દેશમાં કોરોનાના દૈનિક કેસોમાં થોડો વધારો નોંધાયો છે. પરંતુ આજે પણ દેશમાં કોરોનાના લગભગ 5 હજાર નવા કેસ નોંધાયા છે. અહીં રાહતની વાત એ કહી શકાય કે, આજે નોંધાયેલા કેસની સરખામણી રિકવર થયેલા કેસની સંખ્યામાં વધારો થયો છે. આજે સવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોàª
04:52 AM Sep 12, 2022 IST | Vipul Pandya
આજે વૈશ્વિક મહામારી કોરોનાના મોરચે ભારત માટે રાહતના સમાચાર છે. જોકે, આજે દેશમાં કોરોનાના દૈનિક કેસોમાં થોડો વધારો નોંધાયો છે. પરંતુ આજે પણ દેશમાં કોરોનાના લગભગ 5 હજાર નવા કેસ નોંધાયા છે. અહીં રાહતની વાત એ કહી શકાય કે, આજે નોંધાયેલા કેસની સરખામણી રિકવર થયેલા કેસની સંખ્યામાં વધારો થયો છે. 
આજે સવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 5,221 નવા કેસ નોંધાયા છે જ્યારે 15 લોકોના મોત થયા છે. આ દરમિયાન 5,975 લોકો કોરોના વાયરસને હરાવવામાં સફળ થયા છે. આ સાથે દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા ઘટીને 47,176 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસની સંખ્યામાં 769નો ઘટાડો થયો છે. આ સાથે દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 4,45,580 થઈ ગઈ છે. જ્યારે સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,39,25,239 થઈ ગઈ છે. વળી, દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે અત્યાર સુધીમાં કુલ 5,28,165 લોકોના મોત થયા છે.

સરકાર કોરોના વાયરસને કાબૂમાં લેવા રસીકરણ પર ભાર આપી રહી છે. અત્યાર સુધીમાં રસીકરણની સંખ્યા 2,15,26,13,049 પર પહોંચી ગઈ છે. વળી, છેલ્લા 24 કલાકમાં 30,76,305 લોકોને કોરોના રસીનો ડોઝ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો - દેશમાં કોરોનાના Active કેસ ઘટીને થયા 0.11 ટકા, આજે નોંધાયા માત્ર આટલા કેસ
Tags :
CoronaUpdateCoronaVirusCovid19Covid19UpdateDeathGujaratFirstNewcasesRecoveryRatevaccine
Next Article