Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM MODI : પરિણામ બાદ PM મોદીનું અનોખુ અભિયાન,આ Parkમાંથી કરી શરૂઆત

PM MODI : આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે. આ અવસર પર વડાપ્રધાન મોદી(PM MODI)એ લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવા માટે અભિયાન શરૂ કર્યું છે. આ શીર્ષક 'માતાના નામે એક વૃક્ષ' આપવામાં આવ્યું છે. પીએમ મોદીએ પોતે એક છોડ લગાવીને આની...
pm modi   પરિણામ બાદ pm  મોદીનું અનોખુ અભિયાન આ parkમાંથી કરી શરૂઆત

PM MODI : આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે. આ અવસર પર વડાપ્રધાન મોદી(PM MODI)એ લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવા માટે અભિયાન શરૂ કર્યું છે. આ શીર્ષક 'માતાના નામે એક વૃક્ષ' આપવામાં આવ્યું છે. પીએમ મોદીએ પોતે એક છોડ લગાવીને આની શરૂઆત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુદ્ધ જયંતિ પાર્કમાં એક છોડ રોપીને આ અભિયાનની શરૂઆત કરી છે.

Advertisement

PM મોદીએ વૃક્ષ વાવી

PM મોદી(PM MODI)એ આજે બુદ્ધ જયંતિ પાર્કમાં વૃક્ષ વાવીને આ અભિયાનની શરૂઆત કરી છે. વડાપ્રધાન આ અભિયાન દ્વારા દેશભરમાં વૃક્ષારોપણ વિશે લોકોને જાગૃત કરવાની આપીલ કરી  હતી.  જેથી કરીને વધતા ગ્લોબલ વોર્મિંગનો સામનો કરી શકાય. તમને જણાવી દઈએ કે આ વર્ષે દેશના ઘણા રાજ્યોમાં લોકોને આકરી ગરમીનો માર સહન કરવો પડ્યો છે. આ અંગે નિષ્ણાતોએ લોકોને વધુમાં વધુ વૃક્ષો વાવવાની સલાહ આપી છે.

Advertisement

પ્રથમ વખત વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો?

વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે 5 જૂને પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસના મહત્વ વિશે લોકોને જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે. તે 150 થી વધુ દેશોમાં ઉજવવામાં આવે છે. યુએનજીએ દ્વારા પ્રથમ વખત 5 જૂન 1972ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની શરૂઆત કરવામાં આવી હતી. દર વર્ષે આ દિવસની થીમ અનુસાર ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ લેન્ડ રિસ્ટોરેશન, ડેઝર્ટિફિકેશન એન્ડ ડ્રોટ રેઝિલિયન્સ રાખવામાં આવી છે અને આ વખતે સાઉદી અરેબિયાને યજમાન દેશ બનાવવામાં આવ્યો છે.

આ પણ  વાંચો - Lok Sabha Election : 400 પાર કરવાના સૂત્રને શા માટે પૂરું ન કરી શક્યું BJP, આ છે તેના મુખ્ય કારણો…

Advertisement

આ પણ  વાંચો - Delhi માં આજે NDA અને INDI બંનેની બેઠક, નીતિશ અને તેજસ્વી એક જ ફ્લાઈટમાં…

આ પણ  વાંચો - Rajasthan: કારમી હાર બાદ BJP માં ભૂકંપ

Tags :
Advertisement

.