Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દેશમાં કોરોનાનો ગ્રાફ આવ્યો નીચે, છેલ્લા 24 કલાકમાં નોંધાયા માત્ર આટલા કેસ

દેશમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જોકે, દેશમાં ભલે કોરોના વાયરસનું સંક્રમણ કાબૂમાં છે, પરંતુ તે હજી પૂરી રીતે ખતમ થયો નથી. કેન્દ્ર સરકાર પણ વારંવાર તેની યાદ અપાવી રહી છે. ચીન અને અન્ય યુરોપિયન દેશોની સ્થિતિ જોઈને કેન્દ્ર સરકારે નવા રાજ્યોને પત્રમાં ચેતવણી આપી છે. જોકે, દેશનો કોરોના ગ્રાફ નીચે જઈ રહ્યો છે તે ચિંતા વચ્ચે પણ રાહત આપી રહ્યો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંતà«
04:31 AM Mar 19, 2022 IST | Vipul Pandya
દેશમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જોકે, દેશમાં ભલે કોરોના વાયરસનું સંક્રમણ કાબૂમાં છે, પરંતુ તે હજી પૂરી રીતે ખતમ થયો નથી. કેન્દ્ર સરકાર પણ વારંવાર તેની યાદ અપાવી રહી છે. 
ચીન અને અન્ય યુરોપિયન દેશોની સ્થિતિ જોઈને કેન્દ્ર સરકારે નવા રાજ્યોને પત્રમાં ચેતવણી આપી છે. જોકે, દેશનો કોરોના ગ્રાફ નીચે જઈ રહ્યો છે તે ચિંતા વચ્ચે પણ રાહત આપી રહ્યો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,065 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે, જે ગઈકાલની સરખામણીમાં 16 ટકા ઓછા છે. દેશમાં સક્રિય કેસ પણ ધીમે ધીમે ઘટી રહ્યા છે. હાલમાં દેશમાં સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા 26,602 છે. સક્રિય કેસનો દર ઘટીને 0.06 ટકા થયો છે. જો કે ચેપની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે, પરંતુ દેશનો મૃત્યુ દર થોડો ચિંતાજનક છે. રિપોર્ટ અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 61 લોકોના મોત થયા છે. દેશમાં કોવિડને કારણે અત્યાર સુધીમાં 5,18,352 લોકોના મોત થયા છે.

માહિતી અનુસાર દેશમાં અત્યાર સુધીમાં 4,24,71,926 લોકો કોરોનાથી મુક્ત થઈ ચૂક્યા છે. જેમાંથી છેલ્લા 24 કલાકમાં 3,363 કોરોનાથી સાજા થયા છે. રીકવરી દર 98.63% છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 161 કરોડથી વધુ ડોઝની રસી આપવામાં આવી છે, જેમાંથી ગઈકાલે 5 લાખ 64 હજારથી વધુ લોકોએ રસી મેળવી છે. આ સાથે શુક્રવારે દેશમાં 3,70,514 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
Tags :
CoronainIndiaCoronaVirusCovid19DeathGujaratFirstPositiveCasesvaccine
Next Article