દેશમાં આજે કોરોનાના 7 હજારથી ઓછા નવા કેસ નોંધાયા, 26 લોકોના થયા મોત
વૈશ્વિક મહામારી કોરોનાના મોરચે ભારત માટે આજે થોડા રાહતના સમાચાર છે. આજે પણ દેશમાં કોરોનાના દૈનિક કેસોમાં થોડો ઘટાડો થયો છે. આજે દેશમાં કોરોનાના 7 હજારથી ઓછા નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 6,809 નવા કેસ નોંધાયા છે, જ્યારે 26 લોકોના મોત થયા છે. મહત્વનું છે કે, આ પહેલા શનિવારે દેશમાં કોરોના સંક્રમણના 7,219 નવા કેસ નોંધાયા હતા. ગઈકાલની સરખામણીમાં નવા સંક્રમિત દર્દીઓની દૈનિક à
વૈશ્વિક મહામારી કોરોનાના મોરચે ભારત માટે આજે થોડા રાહતના સમાચાર છે. આજે પણ દેશમાં કોરોનાના દૈનિક કેસોમાં થોડો ઘટાડો થયો છે. આજે દેશમાં કોરોનાના 7 હજારથી ઓછા નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 6,809 નવા કેસ નોંધાયા છે, જ્યારે 26 લોકોના મોત થયા છે.
મહત્વનું છે કે, આ પહેલા શનિવારે દેશમાં કોરોના સંક્રમણના 7,219 નવા કેસ નોંધાયા હતા. ગઈકાલની સરખામણીમાં નવા સંક્રમિત દર્દીઓની દૈનિક સંખ્યામાં 410 નો ઘટાડો થયો છે. આજે સવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના 6,809 નવા કેસ નોંધાયા છે જ્યારે 26 લોકોના મોત થયા છે. આ દરમિયાન 8,414 લોકો કોરોના વાયરસને હરાવવામાં સફળ થયા છે. આ સાથે દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા ઘટીને 55,114 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસની સંખ્યામાં 1631નો ઘટાડો નોંધાયો છે.
Advertisement
#COVID-19 | India reports 6,809 fresh cases and 8,414 recoveries in the last 24 hours
Active cases 55,114
Daily positivity rate 2.12% pic.twitter.com/Ko9iMiMZGr— ANI (@ANI) September 4, 2022
આ સાથે દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 4,44,56,535 થઈ ગઈ છે. જ્યારે સાજા થનારા લોકોની સંખ્યા વધીને કુલ 4,38,73,430 થઈ ગઈ છે. વળી, દેશમાં કોરોના વાયરસના ચેપને કારણે અત્યાર સુધીમાં કુલ 5,27,991 લોકોના મોત થયા છે. સરકાર કોરોના વાયરસને કાબૂમાં લેવા રસીકરણ પર ભાર આપી રહી છે. અત્યાર સુધીમાં રસીકરણની સંખ્યા 21,32,04,350 પર પહોંચી ગઈ છે. વળી, છેલ્લા 24 કલાકમાં, 18,35,814 લોકોને કોરોના રસીનો ડોઝ આપવામાં આવ્યો છે.