Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દેશમાં આજે કોરોનાના નોંધાયા 6 હજારથી ઓછા નવા કેસ

વૈશ્વિક કોરોનાના મોરચે ભારત માટે આજે સારા સંકેત મળી રહ્યા છે. દેશમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5,910 નવા કેસ નોંધાયા છે. જણાવી દઈએ કે, લાંબા સમય બાદ દેશમાં કોરોનાના 6 હજારથી ઓછા કેસ સામે આવ્યા છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, દેશમાં એક દિવસમાં 7,034 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં કોરોનાના સક્રિય કેસ ઘટીને 60 હજારથી ઓછા થàª
05:04 AM Sep 05, 2022 IST | Vipul Pandya
વૈશ્વિક કોરોનાના મોરચે ભારત માટે આજે સારા સંકેત મળી રહ્યા છે. દેશમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5,910 નવા કેસ નોંધાયા છે. જણાવી દઈએ કે, લાંબા સમય બાદ દેશમાં કોરોનાના 6 હજારથી ઓછા કેસ સામે આવ્યા છે. 
આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, દેશમાં એક દિવસમાં 7,034 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં કોરોનાના સક્રિય કેસ ઘટીને 60 હજારથી ઓછા થઈ ગયા છે. સક્રિય દર્દીઓ હવે 53,974 છે. જણાવી દઈએ કે, દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 4,44,62,445 કેસ નોંધાયા છે. કુલ 4,38,80,464 લોકો સાજા પણ થયા છે. આ સિવાય કોરોનાને કારણે 5,28,007 લોકોએ જીવ ગુમાવ્યા છે.

દેશમાં અત્યાર સુધીમાં કોરોના રસીના 213.50 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. કોવિન વેબસાઈટ પર જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં 102 કરોડથી વધુ લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આ સિવાય 94 કરોડથી વધુ સેકન્ડ ડોઝ લેવામાં આવ્યા છે. વળી, અત્યાર સુધીમાં 16.68 કરોડથી વધુ પૂર્વ સાવચેતીના ડોઝ પણ લેવામાં આવ્યા છે.
આ પણ વાંચો - દેશમાં આજે કોરોનાના 7 હજારથી ઓછા નવા કેસ નોંધાયા, 26 લોકોના થયા મોત
Tags :
CoronaUpdateCoronaVirusCovid19DeathGujaratFirstNewcasesvaccine
Next Article