Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નોંધાયા 9,520 નવા કેસ, 41 દર્દીઓના થયા મોત

સમગ્ર વિશ્વમાં ડરનો માહોલ બનાવનાર મહામારી કોરોનાને લઇને આજે ભારત માટે કેટલાક રાહતના સમાચાર છે. આજે પણ દેશમાં કોરોનાના દૈનિક કેસોમાં થોડો ઘટાડો થયો છે. આજે દેશમાં કોરોનાના 10 હજારથી ઓછા નવા કેસ સામે આવ્યા છે.છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 9,520 નવા કેસ નોંધાયા છે, જ્યારે 41 લોકોના મોત થયા છે. આ પહેલા શુક્રવારે દેશમાં કોરોના સંક્રમણના 10,256 નવા કેસ નોંધાયા હતા જ્યારે 68 લોકોના મોત થયા હતા. à
04:41 AM Aug 27, 2022 IST | Vipul Pandya
સમગ્ર વિશ્વમાં ડરનો માહોલ બનાવનાર મહામારી કોરોનાને લઇને આજે ભારત માટે કેટલાક રાહતના સમાચાર છે. આજે પણ દેશમાં કોરોનાના દૈનિક કેસોમાં થોડો ઘટાડો થયો છે. આજે દેશમાં કોરોનાના 10 હજારથી ઓછા નવા કેસ સામે આવ્યા છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 9,520 નવા કેસ નોંધાયા છે, જ્યારે 41 લોકોના મોત થયા છે. આ પહેલા શુક્રવારે દેશમાં કોરોના સંક્રમણના 10,256 નવા કેસ નોંધાયા હતા જ્યારે 68 લોકોના મોત થયા હતા. ગઈકાલની સરખામણીમાં નવા સંક્રમિત દર્દીઓની દૈનિક સંખ્યામાં 736 નો ઘટાડો થયો છે. આજે સવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના 9,520 નવા કેસ નોંધાયા છે જ્યારે 41 લોકોના મોત થયા છે. આ દરમિયાન 12,875 લોકો કોરોના વાયરસને હરાવવામાં સફળ થયા છે. આ સાથે દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા ઘટીને 87,311 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસની સંખ્યામાં 3,396નો ઘટાડો થયો છે.

આ સાથે દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 4,43,98,696 થઈ ગઈ છે. જ્યારે સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,37,83,788 થઈ ગઈ છે. વળી, દેશમાં કોરોના વાયરસના ચેપને કારણે અત્યાર સુધીમાં કુલ 5,27,597 લોકોના મોત થયા છે. સરકાર કોરોના વાયરસને કાબૂમાં લેવા રસીકરણ પર ભાર આપી રહી છે. અત્યાર સુધીમાં રસીકરણની સંખ્યા 2,11,39,81,444 થઈ ગઈ છે. વળી, છેલ્લા 24 કલાકમાં 25,86,805 લોકોને કોરોના રસીનો ડોઝ આપવામાં આવ્યો છે.
Tags :
CoronaUpdateCoronaVirusCovid19DeathGujaratFirstRecoveryRatevaccine
Next Article