Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરાતમાં આજે કોરોનાનો આંકડો 500ને પાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કોરોનાની ચપેટમાં

રથયાત્રા પહેલા રાજ્યમાં કોરોના વિસ્ફોટ થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયાં  500થી વધુ કેસો નોંધયા છે. રાજ્યમાં કોરોનાએ ફરી એકવાર માથુ ઉચક્યું છે. સતત કોરોના કેસ વધી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાથી ફરી ચિંતાજનક સ્થિતિ  સર્જાઇ છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 529 નવા કેસ નોંધાયા છે. જોકે રાહતની વાત એ છે કે આ દરમિયાન એક પણ મોત નથી થયું. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કોરોના સંક્રમિત
02:46 PM Jun 29, 2022 IST | Vipul Pandya
રથયાત્રા પહેલા રાજ્યમાં કોરોના વિસ્ફોટ થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયાં  500થી વધુ કેસો નોંધયા છે. રાજ્યમાં કોરોનાએ ફરી એકવાર માથુ ઉચક્યું છે. સતત કોરોના કેસ વધી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાથી ફરી ચિંતાજનક સ્થિતિ  સર્જાઇ છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 529 નવા કેસ નોંધાયા છે. જોકે રાહતની વાત એ છે કે આ દરમિયાન એક પણ મોત નથી થયું. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કોરોના સંક્રમિત થયા છે. રથયાત્રાના ગણત્રીના દિવસો અગાઉ જ તેઓ કોરોના સંક્રમિત થતા હવે તેઓ હોમ ક્વોરન્ટાઇન થયા છે. અમદાવાદમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. 
અમદાવાદ પછી સુરત, વડોદરામાં કોરોના કેસ પણ સતત વધી રહ્યાં છે. અમદાવાદમાં આજે કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે 1લી જુલાઈના રોજ રથયાત્રા યોજાવવાની છે. તેના પહેલા જ રાજ્યમાં કોરોના વિસ્ફોટ થયો છે. આટલી મોટી સંખ્યામાં કોરોના કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે. રાજ્યના આરોગ્ય વિભાગે જારી કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન 408 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં હાલ કુલ 2914 એક્ટિવ કેસ છે. જેમાંથી બે દર્દીઓ હાલ વેન્ટીલેટર પર છે. જ્યારે બાકીના 2912 દર્દીઓ હાલ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી 10,946 લોકોના મોત કોરોનાના કારણે થયા છે.
અમદાવાદ કોર્પોરેશનમાં 220, સુરત કોર્પોરેશનમાં 79, વડોદરા કોર્પોરેશનમાં 53,  સુરત 20, વલસાડ 20, કચ્છ 13, નવસારી 13, મહેસાણા-રાજકોટ કોર્પોરેશન 12-12, ભરૂચ-ગાંધીનગર કોર્પોરેશન 10-10, ગાંધીનગર 8, જામનગર કોર્પોરેશન 7, અમદાવાદ-વડોદરા 6, આણંદ-પાટણ 5, ભાવનગર કોર્પોરેશન 4, દાહોદ, પંચમહાલ અને સાબરકાંઠા 3-3, અમરેલી, બનાસકાંઠા, દેવભુમિ દ્વારકા, મોરબી, પોરબંદર, સુરેન્દ્રનગરમાં 2-2, ભાવનગર, ગીરસોમનાથ, જામનગર, રાજકોટ અને ખેડામાં 1-1 કેસ સહિત કુલ 529 નવા કેસ નોંધાયા છે. 
ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના કુલ 529 કેસ નોંધાયા તેની સામે 408 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,17,623 દર્દીઓએ કેરેનાને મ્હાત આપી છે. જો કે સતત વધી રહેલા કોરોનાના કેસના પગલે રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર ઘટીને 98.87 ટકાએ પહોંચી ચુક્યો છે. જો કે બીજી તરફ કોરોના રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કોરોનાના કુલ 59,218 ડોઝ અપાઇ ચુક્યાં છે. 
Tags :
BhupendraPatelCoronaCMOGujaratcoronaingujaratCoronaUpdateGujaratFirstRathyatra-2022
Next Article