Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સંતાનોનો ઉછેર ખરેખર પડકારજનક બની ગયો છે?

સંતાનો અને મા-બાપ વચ્ચેનો સંબંધ દરેક સમયે સતત બદલાતો રહે છે. એક સમયે પોતાનો જીવ લાગતી મા આકરી લાગવા માંડે તો આપણાં માટે જીવ આપવા તૈયાર હોય એવા પિતા આપણને દીઠાં નથી ગમતાં હોતાં. હજુ બે દિવસ પહેલા અમદાવાદમાં એક કિસ્સો બન્યો 65 વર્ષના પિતાએ એના 21 વર્ષના સગા દીકરાને મારી નાખ્યો. ગયા અઠવાડિયે એક કિસ્સો એવો બન્યો કે, પિતાએ એની પુત્રીને ભરણ પોષણ નહોતું આપ્યું. હાઈકોર્ટે ચુકાદો આપ્યો કે, દીકà
10:12 AM Jul 25, 2022 IST | Vipul Pandya
સંતાનો અને મા-બાપ વચ્ચેનો સંબંધ દરેક સમયે સતત બદલાતો રહે છે. એક સમયે પોતાનો જીવ લાગતી મા આકરી લાગવા માંડે તો આપણાં માટે જીવ આપવા તૈયાર હોય એવા પિતા આપણને દીઠાં નથી ગમતાં હોતાં. હજુ બે દિવસ પહેલા અમદાવાદમાં એક કિસ્સો બન્યો 65 વર્ષના પિતાએ એના 21 વર્ષના સગા દીકરાને મારી નાખ્યો. ગયા અઠવાડિયે એક કિસ્સો એવો બન્યો કે, પિતાએ એની પુત્રીને ભરણ પોષણ નહોતું આપ્યું. હાઈકોર્ટે ચુકાદો આપ્યો કે, દીકરી ભણી રહી છે એની માતા અવસાન પામી છે તમારે એને ભરણ પોષણ આપવું પડશે. જેથી એ પોતાના અભ્યાસમાં ધ્યાન આપી શકે. કોર્ટે આ પિતાને એવું પણ કહ્યું કે, તમે દીકરી સાથે સંવાદ નથી કરતા. તમારે વાતચીત કરવી જોઈએ. આખરે એ તમારું સંતાન છે.  
સંતાન અને મા-બાપ વિશે લખવાનું એટલે સૂઝ્યું કે, ગઈકાલે ભાગ્યે જ કોઈને ખબર હતી કે, પેરન્ટ્સ ડે હતો. 8મી મે, 1973ની સાલથી  દક્ષિણ કોરિયામાં પેરેન્ટ્સ ડેની ઉજવણી શરુ કરાઈ હતી. એ બાદ આ ઉજવણી આઠ જુલાઈએ કરાતી હતી. અમેરિકામાં આ ઉજવણીની શરુઆત થઈ 1994ની સાલથી. ભારતમાં પણ જુલાઈ મહિનાના ચોથા રવિવારે પેરેન્ટ્સ ડેની ઉજવણી થાય છે. ફિલીપાઈન્સમાં ડિસેમ્બર મહિનામાં પેરેન્ટ્સ ડેની ઉજવણી થાય છે તો, શ્રીલંકા અને રશિયામાં પહેલી જૂને ગ્લોબલ પેરેન્ટ્સ ડેની ઉજવાય છે. વિયેતનામમાં સાત જુલાઈના રોજ માતા-પિતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. 

પેરેન્ટ્સ ડે. આ દિવસ ખરેખર ઉજવવાનો હોય? 
ભારતની વાત છે ત્યાં સુધી મા-બાપ અને સંતાનો એક એવો સંબંધ છે જે મા-બાપ જીવે ત્યાં સુધી જીવાતો રહ્યો છે. ખાસ દિવસ ઉજવીને પોતાના લોકો માટે લાગણી વ્યક્ત કરવા માટે આપણે ત્યાં રક્ષાબંધન, ભાઈબીજ જેવા તહેવારો ઉજવવામાં આવે છે. ભારતના કેટલાય હિસ્સાઓમાં મા-બાપ સાથે જીવવું અને રહેવું એ પરંપરા છે. એ વાત સાચી છે કે,  શહેરોમાં વિભક્ત કુટુંબોની સંખ્યા વધી છે. વૃદ્ધાશ્રમમાં વડીલોની સંખ્યા પણ વધી છે. કેટલાંક આશ્રમોમાં વેઈટીંગ લિસ્ટ છે. ક્યાંક મા-બાપને સંતાનો ઘરની બહાર કાઢી મૂકે છે. ક્યાંક મા-બાપ અને સંતાનો એકબીજાંની સામે કોર્ટે ચડેલાં હોય છે. કોઈવાર સંતાનો મા-બાપ માટે ક્રૂર બને એના સમાચારો આપણને વિચારતા કરી મૂકે એવા છે તેની સાથે મા-બાપ પણ સંતાનોનો જીવ લઈ લે કે એમની સાથે ક્રૂરતાપૂર્વક વર્તે ત્યારે અરેરાટી થઈ જાય છે. તેમ છતાં ભારતમાં મહદ્અંશે મા-બાપ સાથે જીવવાની પરંપરા જળવાઈ રહી છે.  
આજના સમયને જોતાં એક સવાલ થઈ આવે કે, શું ખરેખર મા-બાપ બનવું પડકારજનક થયું છે? 
આજની generation અને એનું Exposure જોતાં એવું લાગે કે,  મા-બાપ તરીકે પેશ આવવું, સંતાનનો ઉછેર કરવો એ ખરેખર ચેલેન્જિંગ છે. એક યુગલ છે એ સ્પષ્ટપણે કહે છે, અમારા મા-બાપ અમારી પાસેથી એવી આશા રાખે છે  કે, એમણે અમને જન્મ આપ્યો છે એટલે અમારે એમનું ધ્યાન રાખવાનું. એમની કેર કરવાની અને એમનો ખર્ચ ઉપાડવાનો. અમે બંને અમારાં મા-બાપના એકના એક સંતાનો છીએ. આથી એમની જવાબદારી સ્વભાવિક રીતે અમારી જ હોય. પરંતુ, અમારું પોતાનું એક સંતાન અને બંનેના મા-બાપ આ બધામાં અમે આર્થિક રીતે નહીં બીજી બધી રીતે બહુ ખેંચાઈ રહીએ છીએ. ઘણી વખત તો એવું લાગે છે કે, નથી પહોંચી વળાતું પણ અમારી પાસે કોઈ રસ્તો નથી. સાથોસાથ એમનું ધ્યાન રાખવું એ અમારી ફરજ છે. સો કોલ્ડ સોસાયટીના લોકો પણ ટીકા કરવાનું નથી ચૂકતાં. આ બધું જોઈને અમે બંનેએ લગ્નના થોડાં જ સમયમાં નક્કી કર્યું કે, અમે બાળક કરીશું પણ એ અમારા આનંદ માટે. અમારી લાગણી માટે. બુઢાપાના સહારા તરીકે અમે સંતાનને નહીં ઉછેરીએ. બને ત્યાં સુધી એને સ્વતંત્ર રાખીશું. એની ઉપર આધારિત ઓછા રહીએ એ રીતે અમે ઈન્વેસ્ટમેન્ટથી માંડીને તમામ વાતોનું પ્લાનિંગ કર્યું છે.  
સંતાન હોય એટલે મા-બાપ તરીકે આશા રાખે કે, એ ઘરડે ઘડપણ એમનું ધ્યાન રાખે. ભારતમાં મોટાભાગે બાળકોનો જન્મ અને ઉછેર આજની તારીખે આ લાગણીને કારણે જ થાય છે. વૃદ્ધાવસ્થામાં સ્વતંત્ર રહેવું એ દરેકને આર્થિક રીતે ન પોસાય ત્યારે દીકરો વહુ ગમે તેવા સ્વભાવના હોય ઘણું બધું જતું કરીને મા-બાપ એમની સાથે રહેતાં હોય છે. માત્ર સંતાનોનો જ સ્વભાવ ખરાબ હોય અને મા-બાપ સહન કરે છે એવું નથી હોતું. દરેક વૃદ્ધાશ્રમમાં ગયેલા વડીલો કે પછી ઘરમાં ડસ્ટબીન તરીકે ઓળખાતાં મા-બાપનો પણ ક્યાંક વાંક હોય છે. જો કે, એ વાંક પોતે જજ બને ત્યારે એમને દેખાતો નથી હોતો. કોઈ મોઢામોઢ કહે તો એમનાથી સહન પણ નથી થતું હોતું.  
તેમ છતાં, મોટાભાગના ભારતીય પરિવારોમાં જીવતાંજાગતાં ભગવાન એટલે મા-બાપ એવું માનનારો વર્ગ ઓછો નથી. આપણું મન ખિન્ન ત્યારે થઈ જાય છે જ્યારે કેટલાંક કિસ્સાઓ ગળે ઉતરે એવા નથી હોતાં. આપણાં મોઢામાંથી હાયકારો નીકળી જાય છે. તેમ છતાં આજે મા-બાપ બનવું એ પડકારજનક છે. વર્કિંગ મધર-ફાધર અને વધી રહેલી મોંઘવારીથી માંડીને દેખાદેખીની દુનિયામાં સંતાનને સંસ્કાર આપવા છતાં સંતાન કેવું થશે એનું ભાવિ ક્યારેય કોઈ ભાખી શક્યું નથી. મા-બાપ કે પેરેન્ટ્સ ડે એ ઉજવવાનો દિવસ નથી હોતો, એ અનુભૂતિ છે. જે તમે જીવો ત્યાં સુધી તમારી સાથે જ રહેવાની છે. 
આ પણ વાંચો- પેરેન્ટિંગની વ્યાખ્યા બદલવાનો સમય આવી ગયો છે?
Tags :
ChalangechildrenGujaratFirst
Next Article