Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રેશનિંગ દુકાનધારકોની હડતાળનો મામલો, કુંવરજી બાવળિયાએ યોજી બેઠક

રેશનિંગ દુકાનદારોની આજથી રાજ્યવ્યાપી હડતાલ છે. જેમાં 17 હજાર કરતા વધારે વેપારીઓની કમિશનની માંગ મુદ્દે હડતાલ છે. તથા વારંવાર સરકારને રજૂઆત છતા ઉકેલ ન આવતા આજથી હડતાલ શરૂ કરવામાં આવી છે. સમયસર જથ્થો ન મળવા, અનાજની બોરીમાં ઘટ જેવી માંગને...
રેશનિંગ દુકાનધારકોની હડતાળનો મામલો  કુંવરજી બાવળિયાએ યોજી બેઠક
Advertisement

રેશનિંગ દુકાનદારોની આજથી રાજ્યવ્યાપી હડતાલ છે. જેમાં 17 હજાર કરતા વધારે વેપારીઓની કમિશનની માંગ મુદ્દે હડતાલ છે. તથા વારંવાર સરકારને રજૂઆત છતા ઉકેલ ન આવતા આજથી હડતાલ શરૂ કરવામાં આવી છે. સમયસર જથ્થો ન મળવા, અનાજની બોરીમાં ઘટ જેવી માંગને લઇ વેપારીઓ હડતાલ પર છે.સસ્તા અનાજની દુકાનદારો ધારકોની હડતાળ સામે સરકાર એક્શનમાં આવી છે. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ બેઠક યોજી હતી. અન્ન અને નાગરિક પુરવઠા નિગમના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. બેઠકમાં થયેલી ચર્ચા મુજબ સરકાર દુકાન ધારકો સામે નમતું જોખવા તૈયાર નથી. સરકારે નવેમ્બર મહિનામાં દુકાનો શરૂ રાખવા અપીલ કરી હતી. હડતાળ પૂર્ણ કરી દુકાનો ચાલુ રાખે તેવી અપીલ કરવામાં આવી રહી છે

Advertisement

Advertisement

સરકાર ઠરાવ ન કરે ત્યાં સુધી વેપારીઓ નવેમ્બરનો જથ્થો નહી ઉપાડે

Advertisement

સરકાર ઠરાવ ન કરે ત્યાં સુધી વેપારીઓ નવેમ્બરનો જથ્થો નહી ઉપાડે તથા કમિશન સહિતની માંગને લઈને આજથી રેશનિંગ દુકાનદારોની હડતાળ છે. રાજ્યની 17000 જેટલી વ્યાજબી ભાવની દુકાનોમાં હડતાળ છે. વારંવાર રજુઆત છતાં સરકારે ધ્યાન ન આપતા હડતાળ કરવામાં આવી છે. અનાજની બોરીમાં ઘટ, 20 હજાર કમિશનની ભરપાઈ જેવી અનેક માંગોને લઈને હડતાળ છે. દિવાળીના તહેવાર ઉપર ગરીબોને રેશનીગનું અનાજ નહી મળે તેવા એંધાણ છે. તેમાં સસ્તા અનાજના દુકાનદારો પુરવઠાનું વિતરણ કરશે નહી. રૂપિયા 20 હજારના કમિશન મુદ્દે હજુ પણ અવઢવને પગલે પરવાનેદાર લડત આપવા મક્કમ છે.

રાજકોટ જિલ્લામાં 700 થી વધુ સસ્તા અનાજના દુકાનદારોનો નિર્ણય

રાજકોટ જિલ્લામાં 700 થી વધુ સસ્તા અનાજના દુકાનદારોનો નિર્ણય છે. તેમાં 31 તારીખ સુધીનું સરકારને દુકાનદારોએ અલટીમેટમ આપ્યું હતુ. પહેલી તારીખથી માલ નહી ઉપાડવા અને વિતરણ નહી કરવા સસ્તા અનાજના દુકાનદારોનો નિર્ણય છે. જેમાં આવતીકાલે સરકાર સાથે વાટાઘાટો થઈ શકે છે. જન્માષ્ઠમી ઉપર સસ્તા અનાજના દુકાનદારો દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. કમિશનર પેટે 20 હજાર આપવાની માંગણી સ્વીકારવામાં આવી હતી. માંગણી અંતર્ગત જૂજ દુકાનદારો જ આવતા હોવાનું સામે આવતા સરકારે છેતર્યા હોવાની દુકાનદારોની લાગણી છે. દશેરા સુધીમાં નિરાકરણ લાવવા ખાતરી આપવામાં આવી હતી. જેમાં કોઇ નિરાકરણ ના આવતા આજથી હડતાલ શરૂ થઇ છે.

આ  પણ  વાંચો-SURAT : એક પરિવારના 7 લોકોના આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો

Tags :
Advertisement

Trending News

.

×