ભારતમાં કોરોનાના એક દિવસમાં 1.49 લાખ કેસ સામે 2.46 લાખ લોકો થયા સાજા
આજે દેશમાં કોરોનાના 1,49,394 નવા દર્દીઓ સામે આવ્યા છે. આ સંખ્યા ગઈકાલ કરતા 13% ઓછી
છે. છેલ્લા 24 કલાકમાં 2, 46, 674 લોકો સાજા પણ થયા છે. જ્યારે 1,072 લોકોના કોરોનાથી
મોત થયા છે.
દેશમાં કોરોના સંક્રમણ ઝડપથી ઘટી
રહ્યું છે
પોઝિટિવ રેટ ઘટીને 9.27% પર પહોચ્યો છે. જો કે દેશમાં કોરોનાના કારણે મૃત્યુઆંકમાં સતત વધારો
થઈ રહ્યો છે. શુક્રવારે
આરોગ્ય વિભાગે જાહેર કરેલ આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 1,072 લોકોના
મોત થયા છે. આ પછી, કોરોનાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 5,00,055 થઈ ગઈ
છે. ભારત વિશ્વનો ત્રીજો દેશ બન્યો, જ્યાં કોરોનાને કારણે 5 લાખથી વધુ લોકોના મોત નોંધાયા છે.
દેશમાં આજે 1.49 લાખ નવા દર્દીઓ સામે આવ્યા છે. આ સંખ્યા ગઈકાલ કરતા 13% ઓછી છે. છેલ્લા 24 કલાકમાં 2,46,674 લોકો સાજા પણ થયા છે. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા અનુસાર,
દેશમાં ચેપનો દર હવે ઘટીને 9.27% પર
આવી ગયો છે.