Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાત કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં, નવા 1,274 કેસ નોંધાયા

ગુજરાતમાં દિન પ્રતિદિન કોરોનાની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 1હજાર 274 કેસ નોંધાયા છે. કોરોનાના કારણે નવા 13 દર્દીઓના મૃત્યુ થયા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 97.94 ટકાથયો છે. રાજ્યના મહાનગરોમાં નોંધાયેલા કોરોનાના કેસોની વાત કરીએ તો અમદાવાદમાં 416, વડોદરામાં 336, સુરતમાં 94 તો રાજકોટમાં 56 કેસ નોંધાયા છે.  અત્યાર સુધીમાં ગુજરાતના ફુલ કેસોની જો વાત કરવાàª
ગુજરાત કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં  નવા 1 274 કેસ નોંધાયા
ગુજરાતમાં દિન પ્રતિદિન કોરોનાની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 1હજાર 274 કેસ નોંધાયા છે. કોરોનાના કારણે નવા 13 દર્દીઓના મૃત્યુ થયા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 97.94 ટકા
થયો છે. 
રાજ્યના મહાનગરોમાં નોંધાયેલા કોરોનાના કેસોની વાત કરીએ તો અમદાવાદમાં 416, વડોદરામાં 336, સુરતમાં 94 તો રાજકોટમાં 56 કેસ નોંધાયા છે.  અત્યાર સુધીમાં ગુજરાતના ફુલ કેસોની જો વાત કરવામાં આવેતો કુલ 12,15,290 છે જેની સામે  11,90,271 દર્દીઓ રિકવર પણ થયાં છે.

રસીકરણ અંગે વાત કરીએ તો શનિવાર સાંજના પાંચ વાગ્યાથી રવિવાર સાંજના ચાર વાગ્યા સુધીમાં ગુજરાત ભરમાં 78,107 કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. 
Advertisement


Tags :
Advertisement

.