તહેવારોની સિઝનમાં કોરોનાના આંકડાઓની ઝડપ વધી કે ઘટી? જાણો આજે કેટલા નોંધાયા કેસ
તહેવારોની સિઝન શરૂ થઇ ગઇ છે, ત્યારે આ તહેવારોમાં કોરોનાના કેસમાં ઉછાળો થતો જોવા મળી રહ્યો છે. જોકે, આજે ભારત માટે કેટલાક રાહતના સમાચાર છે. ધનતેર અને દિવાળી પહેલા દેશમાં કોરોનાના નવા કેસો જોવા મળી રહ્યા છે. જોકે, ગુરુવારની સરખામણીએ દેશમાં કોરોનાના દૈનિક કેસોમાં થોડો ઘટાડો થયો છે. આજે દેશમાં કોરોનાના 2,000 થી વધુ નવા કેસ નોંધાયા છે.આજે સવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા à
04:36 AM Oct 21, 2022 IST
|
Vipul Pandya
તહેવારોની સિઝન શરૂ થઇ ગઇ છે, ત્યારે આ તહેવારોમાં કોરોનાના કેસમાં ઉછાળો થતો જોવા મળી રહ્યો છે. જોકે, આજે ભારત માટે કેટલાક રાહતના સમાચાર છે. ધનતેર અને દિવાળી પહેલા દેશમાં કોરોનાના નવા કેસો જોવા મળી રહ્યા છે. જોકે, ગુરુવારની સરખામણીએ દેશમાં કોરોનાના દૈનિક કેસોમાં થોડો ઘટાડો થયો છે. આજે દેશમાં કોરોનાના 2,000 થી વધુ નવા કેસ નોંધાયા છે.
આજે સવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના 2,119 નવા કેસ નોંધાયા છે જ્યારે 10 લોકોના મોત થયા છે. આ પહેલા ગુરુવારે દેશમાં કોરોના સંક્રમણના 2,141 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 20 લોકોના મોત થયા છે. ગઈકાલની સરખામણીમાં નવા સંક્રમિત દર્દીઓની દૈનિક સંખ્યામાં 22નો ઘટાડો થયો છે. આજે, 2,582 લોકો કોરોના વાયરસને હરાવવામાં સફળ થયા છે. આ સાથે દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા ઘટીને 25,037 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં, સક્રિય કેસોની સંખ્યામાં 473 નો ઘટાડો થયો છે.
આ સાથે દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 4,46,38,636 થઈ ગઈ છે. જ્યારે સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,40,84,646 થઈ ગઈ છે. વળી, દેશમાં કોરોના વાયરસના ચેપને કારણે અત્યાર સુધીમાં કુલ 5,28,953 લોકોના મોત થયા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. હવે દેશમાં રિકવરી રેટ વધીને 98.76 ટકા થઈ ગયો છે. વળી, સક્રિય કેસોમાં કુલ ચેપના 0.06 ટકાનો સમાવેશ થાય છે. સરકાર કોરોના વાયરસને કાબૂમાં લેવા રસીકરણ પર ભાર આપી રહી છે. અત્યાર સુધીમાં રસીકરણની સંખ્યા 2,19,50,97,574 પર પહોંચી ગઈ છે. વળી, છેલ્લા 24 કલાકમાં, 4,63,338 લોકોને કોરોના રસીનો ડોઝ આપવામાં આવ્યો છે.
Next Article