આજે જ લઈ લેજો વેક્સિન, રિસર્ચમાં વેક્સિનને લઇ થયો છે મોટો ખુલાસો
સરકાર સતત વેક્સિનેશન
પર ભાર મૂકી રહી છે, ત્યારે જો તમે હજી સુધી
કોરોનાની વેક્સિન નથી લીધી, તો આ લેખ ચોક્કસ
વાંચો. રસી લીધા પછી પણ આપણને ચેપ લાગી શકે છે,
પરંતુ તે ચોક્કસપણે આપણને ગંભીર રીતે બીમાર
થવાના અને મૃત્યુના જોખમથી બચાવે છે. યુએસ હેલ્થ એજન્સી સેન્ટર્સ ફોર ડિસીઝ
કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને (CDC) તાજેતરમાં
તેનું મહત્વ દર્શાવવા માટે એક સંશોધન હાથ ધર્યું હતું. વૈજ્ઞાનિકોએ શોધી કાઢ
12:24 PM Feb 10, 2022 IST
|
Vipul Pandya
સરકાર સતત વેક્સિનેશન
પર ભાર મૂકી રહી છે, ત્યારે જો તમે હજી સુધી
કોરોનાની વેક્સિન નથી લીધી, તો આ લેખ ચોક્કસ
વાંચો. રસી લીધા પછી પણ આપણને ચેપ લાગી શકે છે,
પરંતુ તે ચોક્કસપણે આપણને ગંભીર રીતે બીમાર
થવાના અને મૃત્યુના જોખમથી બચાવે છે. યુએસ હેલ્થ એજન્સી સેન્ટર્સ ફોર ડિસીઝ
કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને (CDC) તાજેતરમાં
તેનું મહત્વ દર્શાવવા માટે એક સંશોધન હાથ ધર્યું હતું. વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે, રસી
મેળવનારા લોકોમાં કોરોનાથી મૃત્યુનું જોખમ નહિવત છે.
- C D C એ પોતાના રીસર્ચમાં અમેરિકાના
12,28,664 લોકોના સ્વાસ્થ્ય પર
પરીક્ષણ કર્યું છે - આ પરિક્ષણ ત્યારે કરવામાં આવ્યું જ્યારે ડેલ્ટા વેરિઅન્ટ દેશમાં
તબાહી મચાવી રહ્યું હતું. આ તમામ લોકોએ ડિસેમ્બર 2020 થી ઓક્ટોબર 2021 વચ્ચે
કોરોનાની રસી લીધી હતી. ત્યારે આ પરિક્ષણમાં આ મુજબ
પરિણામો સામે આવ્યા છે. - સંશોધનમાં સામેલ લોકોમાંથી 2,256 એટલે
કે 0.1% લોકોને ફરીથી કોરોના ચેપ લાગ્યો છે. - 189 એટલે કે 0.01% લોકો ગંભીર રીતે
બીમાર થયા. - 36 એટલે કે 0.0029% લોકોએ જીવ
ગુમાવ્યા.
- મૃત દર્દીઓમાંથી 28 એટલે કે 77% એવા
હતા જેમને ચાર કે તેથી વધુ ગંભીર બીમારીઓ હતી. ઉદાહરણ તરીકે, ડાયાબિટીસ, કિડની રોગ,
લીવર રોગ, ફેફસાના રોગ, હૃદય રોગ,
માનસિક બીમારી વગેરે. - 65 વર્ષથી વધુ ઉંમરના કોઈપણ સ્વસ્થ
વ્યક્તિને ગંભીર કોરોના ચેપ લાગ્યો નથી.
સંશોધનમાં એવું તારણ આવ્યું કે, રસી લીધા પછી દર 1.5 લાખ લોકોમાંથી ફક્ત એક જ વ્યક્તિનું કોરોનાથી મૃત્યુ થઈ શકે છે. અગાઉના ઘણા સંશોધનોમાં એવું જાણવા મળ્યું છે કે, બાળકોમાં કોરોનાથી મૃત્યુનું જોખમ ઘણું ઓછું છે. માત્ર 0.001% બાળકો વાયરસથી સંક્રમિત થતા જીવ ગુમાવે છે.
Next Article