ભારતમાં છેલ્લા 24 કલાકમાં 2,827 લોકો થયા કોરોનાથી સંક્રમિત, 24 દર્દીઓના થયા મૃત્યુ
ગુરુવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં 24 કલાકમાં 2827 નવા કોરોના કેસ નોંધાયા છે. જ્યારે એક દિવસ અગાઉ 2897 કેસ નોંધાયા હતા. અને મંગળવારે 2,288 કેસ નોંધાયા હતા. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 24 કોરોનાના દર્દીઓના મૃત્યુ થયા છે અને 3230 દર્દીઓ કોરોનાથી સજા થયા છે. ભારતમાં અત્યાર સુધીના કુલ નોંધાયેલા કોરોનાના કેસમાંથી અત્યારે ફક્ત 0.04 ટકા એટલે કે 19,067 એક્ટà
ગુરુવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં 24 કલાકમાં 2827 નવા કોરોના કેસ નોંધાયા છે. જ્યારે એક દિવસ અગાઉ 2897 કેસ નોંધાયા હતા. અને મંગળવારે 2,288 કેસ નોંધાયા હતા. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 24 કોરોનાના દર્દીઓના મૃત્યુ થયા છે અને 3230 દર્દીઓ કોરોનાથી સજા થયા છે.
ભારતમાં અત્યાર સુધીના કુલ નોંધાયેલા કોરોનાના કેસમાંથી અત્યારે ફક્ત 0.04 ટકા એટલે કે 19,067 એક્ટિવ કેસ છે. દેશમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કેસ પૈકી 98.74 ટકા દર્દીઓ સજા થયા એટલેકે 4,25,70,165 દર્દીઓ સજા થયા છે અને 1.22 ટકા દર્દીઓન મૃત્યુ થયા છે. ભારતમાં 5,24,181 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે.
જાન્યુઆરી 2021થી શરુ થયેલ દેશવ્યાપી વેક્સિનેશન અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 1,90,83,96,788 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે જેમાંથી છેલ્લા 24 કલાકમાં 14,85,292 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા હતા.
Advertisement