Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોરોનાના કેસમાં આજે એકવાર ફરી થયો વધારો, 1 હજારથી વધુ નોંધાયા કેસ

દેશમાં આજે ગુરુવારની સરખામણીમાં કોરોનાના કેસમાં થોડો વધારો નોંધાયો છે. આજે દેશમાં 1100 થી વધુ નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 1,112 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ પહેલા બુધવારે દેશમાં કોરોના સંક્રમણના 830 નવા કેસ નોંધાયા હતા. જ્યારે એક વ્યક્તિનું મોત થયું હતું. ગઈકાલની સરખામણીમાં નવા સંક્રમિત દર્દીઓની દૈનિક સંખ્યામાં 282 નો વધારો નોંધાયો થયો છે.àª
કોરોનાના કેસમાં આજે એકવાર ફરી થયો વધારો  1 હજારથી વધુ નોંધાયા કેસ
દેશમાં આજે ગુરુવારની સરખામણીમાં કોરોનાના કેસમાં થોડો વધારો નોંધાયો છે. આજે દેશમાં 1100 થી વધુ નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 1,112 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ પહેલા બુધવારે દેશમાં કોરોના સંક્રમણના 830 નવા કેસ નોંધાયા હતા. જ્યારે એક વ્યક્તિનું મોત થયું હતું. ગઈકાલની સરખામણીમાં નવા સંક્રમિત દર્દીઓની દૈનિક સંખ્યામાં 282 નો વધારો નોંધાયો થયો છે.
આજે સવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 1,112 નવા કેસ નોંધાયા છે જ્યારે 1 લોકોના મોત થયા છે. આ દરમિયાન 1,892 લોકો કોરોના વાયરસને હરાવવામાં સફળ થયા. આ સાથે દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા ઘટીને 20,821 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસની સંખ્યામાં 786નો ઘટાડો થયો છે. આ સાથે દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 4,46,46,880 થઈ ગઈ છે. જ્યારે સાજા થનારા લોકોની સંખ્યા વધીને કુલ 4,40,97,072 થઈ ગઈ છે. વળી, દેશમાં કોરોના વાયરસના ચેપને કારણે અત્યાર સુધીમાં કુલ 5,28,987 લોકોના મોત થયા છે.
Advertisement

આરોગ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. હવે દેશમાં રિકવરી રેટ વધીને 98.77 ટકા થઈ ગયો છે. વળી, સક્રિય કેસોમાં કુલ ચેપના 0.05 ટકાનો સમાવેશ થાય છે. જ્યારે દૈનિક હકારાત્મકતા દર 0.77 ટકા રહ્યો હતો. સરકાર કોરોના વાયરસને કાબૂમાં લેવા રસીકરણ પર ભાર આપી રહી છે. 
Tags :
Advertisement

.