Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દેશમાં આજે કોરોનાના કેસમાં થયો વધારો, 5 હજારથી વધુ કેસ નોંધાયા

કોરોના મહામારીએ આજે એકવાર ફરી ચિંતામાં વધારો કર્યો છે. જીહા, જે વાયરસને આપણે લગભગ ભૂલી જ ગયા છે તે હવે પાછો આવી રહ્યો હોય તેવું હાલમાં જોવા મળી રહ્યું છે. જે પ્રમાણે કેસમાં વધારો થઇ રહ્યો છે આ જોતા સરકાર એકવાર ફરી લોકોને કોવિડ ગાઈડલાઇનનું કડકપણે પાલન કરવા કહી શકે છે. દેશમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. આ વચ્ચે આજે કોરોનાના કેસમાં મોટો ઉછાળો નોંધા
04:34 AM Jun 08, 2022 IST | Vipul Pandya
કોરોના મહામારીએ આજે એકવાર ફરી ચિંતામાં વધારો કર્યો છે. જીહા, જે વાયરસને આપણે લગભગ ભૂલી જ ગયા છે તે હવે પાછો આવી રહ્યો હોય તેવું હાલમાં જોવા મળી રહ્યું છે. જે પ્રમાણે કેસમાં વધારો થઇ રહ્યો છે આ જોતા સરકાર એકવાર ફરી લોકોને કોવિડ ગાઈડલાઇનનું કડકપણે પાલન કરવા કહી શકે છે. 
દેશમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. આ વચ્ચે આજે કોરોનાના કેસમાં મોટો ઉછાળો નોંધાયો છે. ભારતમાં કોરોના વાયરસના કેસોમાં અચાનક વધારો થઈ રહ્યો છે. લગભગ ત્રણ મહિના બાદ ફરીથી કોરોના વાયરસના કેસમાં વધારો થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં સંક્રમણને કારણે 7 લોકોના મોત સાથે કોરોના વાયરસના 5,233 નવા કેસ નોંધાયા છે. 

દેશમાં છેલ્લા 24 કલાકમાં કુલ 3,345 ડિસ્ચાર્જ થયા છે, જે બાદ કુલ રિકવરી રેટ લગભગ 98.72 ટકા અને કુલ રિકવરી ડેટા 4,26,36,710 પર પહોંચી ગયો છે. આરોગ્ય મંત્રાલયના ડેટાએ આજે ​​દર્શાવ્યું છે કે, ભારતમાં COVID-19 ના કુલ સક્રિય કેસ વધીને 28,857 થઈ ગયા છે. ગઈકાલે નોંધાયેલા સક્રિય કેસોની સંખ્યા 26,976 હતી.
છેલ્લા 24 કલાકના સમયગાળામાં સક્રિય COVID-19 કેસ લોડમાં 1,881 કેસનો વધારો નોંધવામાં આવ્યો છે. મંત્રાલયે કહ્યું કે, સક્રિય કેસોમાં કુલ સંક્રમણના 0.06 ટકાનો સમાવેશ થાય છે. દેશમાં કુલ મૃત્યુઆંક હવે 5,24,715 છે. ભારતમાં, કોવિડ રોગચાળાને કારણે પ્રથમ મૃત્યુ માર્ચ 2020 માં થયું હતું.
ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) અનુસાર, 7 જૂન સુધી કોવિડ-19 માટે 85,35,22,623 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. જેમાંથી મંગળવારે 3,13,361 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો - દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નોંધાયા 3714 નવા કેસ, 7 દર્દીઓના થયા મોત
Tags :
CoronaVirusCovid19DeathGujaratFirstNewcasesPositivityRateRecoveryRatevaccinationvaccine
Next Article