દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસમાં ઘટાડો, 31 લોકોના થયા મોત
ચીન સહિત અન્ય દેશોમાં કોરોનાના વધતા ખતરાને જોતા ભારતમાં પણ સાવચેતી રાખવામાં આવી રહી છે. ઘણા નિષ્ણાતો કહે છે કે ભારતમાં પણ કોરોનાની ચોથી લહેર આવી શકે છે. જોકે, તાજેતરમાં પરિસ્થિતિ કંટ્રોલમા દેખાઇ રહી છે. આજે નોંધાયેલા કોરોનાના કેસની વાત કરીએ તો છેલ્લા 24 કલાક 1270 નવા કેસ સામે આવ્યા છે. વિશ્વના દેશોમાં ઝડપથી ફેલાઇ રહેલી કોરોનાની લહેરને જોતા ભારત સરકાર ફરી એકવાર સતર્ક થઈ ગઈ છે. ફરી વધતà
05:14 AM Mar 28, 2022 IST
|
Vipul Pandya
ચીન સહિત અન્ય દેશોમાં કોરોનાના વધતા ખતરાને જોતા ભારતમાં પણ સાવચેતી રાખવામાં આવી રહી છે. ઘણા નિષ્ણાતો કહે છે કે ભારતમાં પણ કોરોનાની ચોથી લહેર આવી શકે છે. જોકે, તાજેતરમાં પરિસ્થિતિ કંટ્રોલમા દેખાઇ રહી છે. આજે નોંધાયેલા કોરોનાના કેસની વાત કરીએ તો છેલ્લા 24 કલાક 1270 નવા કેસ સામે આવ્યા છે.
વિશ્વના દેશોમાં ઝડપથી ફેલાઇ રહેલી કોરોનાની લહેરને જોતા ભારત સરકાર ફરી એકવાર સતર્ક થઈ ગઈ છે. ફરી વધતા કોરોનાને જોતા સરકાર દેશના લોકોને બૂસ્ટર ડોઝ લાગુ કરવાની પણ યોજના બનાવી રહી છે. આ વચ્ચે આજે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારતમાં સોમવારે છેલ્લા 24 કલાકમાં 1,270 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે, જેમાં કોવિડ-19 કેસમાં ઘટાડો નોંધાયો છે. ભારતમાં સક્રિય COVID-19 કેસની સંખ્યા વધીને 15,859 થઈ ગઈ છે. સવારે અપડેટ કરાયેલા ડેટામાં 31 નવા મૃત્યુ સાથે મૃત્યુઆંક વધીને 5,21,035 થયો છે. મંત્રાલયે કહ્યું કે, સક્રિય કેસોમાં કુલ સંક્રમણના 0.04 ટકાનો સમાવેશ થાય છે. ભારતમાં અત્યાર સુધીમાં 1,83,26,35,673 રસીકરણ કરવામાં આવ્યું છે. આ રોગમાંથી ઠીક થનારા લોકોની સંખ્યા વધીને 4,24,83,829 થઈ ગઈ છે, જ્યારે મૃત્યુ દર 1.21 ટકા નોંધાયો છે.
ભારતમાં કોવિડ-19નો આંકડો 7 ઓગસ્ટ, 2020ના રોજ 20 લાખ, 23 ઓગસ્ટના રોજ 30 લાખ, 5 સપ્ટેમ્બરે 40 લાખ અને 16 સપ્ટેમ્બરે 50 લાખને પાર કરી ગયો હતો. તે 28મી સપ્ટેમ્બરે 60 લાખ, 11મી ઓક્ટોબરે 70 લાખ, 29મી ઓક્ટોબરે 80 લાખ, 20મી નવેમ્બરે 90 લાખ અને 19મી ડિસેમ્બરે એક કરોડને પાર કરી ગયો હતો. દેશે 4 મેના રોજ 2 કરોડ અને ગયા વર્ષે 23 જૂનના રોજ 3 કરોડનો ગંભીર માઇલસ્ટોન પાર કર્યો હતો.
Next Article