દેશમાં આજે કોરોનાના કેસમાં ઘટાડો, 2060 નવા કેસ નોંધાયા
કોરોનાને લઇને આજે ભારત માટે કેટલાક રાહતના સમાચાર છે. રવિવારની સરખામણીએ દેશમાં કોરોનાના દૈનિક કેસોમાં થોડો ઘટાડો થયો છે. જોકે, આજે પણ દેશમાં કોરોનાના 2000 થી વધુ નવા કેસ નોંધાયા છે. વળી આ પહેલા રવિવારે દેશમાં કોરોના સંક્રમણના 2,401 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 21 લોકોના મોત થયા હતા. ગઈકાલની સરખામણીમાં નવા સંક્રમિત દર્દીઓની દૈનિક સંખ્યામાં 341 નો ઘટાડો થયો છે.આજે સવારે આરોગ્ય મંત્રાલય દ્વાર
કોરોનાને લઇને આજે ભારત માટે કેટલાક રાહતના સમાચાર છે. રવિવારની સરખામણીએ દેશમાં કોરોનાના દૈનિક કેસોમાં થોડો ઘટાડો થયો છે. જોકે, આજે પણ દેશમાં કોરોનાના 2000 થી વધુ નવા કેસ નોંધાયા છે. વળી આ પહેલા રવિવારે દેશમાં કોરોના સંક્રમણના 2,401 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 21 લોકોના મોત થયા હતા. ગઈકાલની સરખામણીમાં નવા સંક્રમિત દર્દીઓની દૈનિક સંખ્યામાં 341 નો ઘટાડો થયો છે.
આજે સવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના 2,060 નવા કેસ નોંધાયા છે જ્યારે 10 લોકોના મોત થયા છે. આ દરમિયાન, 2,024 લોકો કોરોના વાયરસને હરાવવામાં સફળ થયા છે. આ સાથે દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા વધીને 26,835 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસની સંખ્યામાં 209 નો વધારો નોંધાયો છે. આ સાથે દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 4,46,30,888 થઈ ગઈ છે. જ્યારે સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,40,75,149 થઈ ગઈ છે. વળી, દેશમાં કોરોના વાયરસના ચેપને કારણે અત્યાર સુધીમાં કુલ 5,28,905 લોકોના મોત થયા છે.
Advertisement
આરોગ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. હવે દેશમાં રિકવરી રેટ વધીને 98.75 ટકા થઈ ગયો છે. વળી, સક્રિય કેસોમાં કુલ ચેપના 0.06 ટકાનો સમાવેશ થાય છે. સરકાર કોરોના વાયરસને કાબૂમાં લેવા રસીકરણ પર ભાર આપી રહી છે. અત્યાર સુધીમાં રસીકરણની સંખ્યા 2,19,33,43,000 થઈ ગઈ છે. વળી, છેલ્લા 24 કલાકમાં 1,25,013 લોકોને કોરોના રસીનો ડોઝ આપવામાં આવ્યો છે.