દેશમાં કોરોનાના નવા 58,077 કેસ નોંધાયા, વેક્સીનેશન 172 કરોડને પાર
દેશમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો થયો છે. ભારતમાં 24 કલાકમાં કોરોનાના નવા 58,077 કેસ નોંધાયા છે, 24 કલાકમાં 657 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે, 24 કલાકમાં 1.50 લાખથી વધુ દર્દીઓ કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે. દેશમાં કોરોનાના હાલ 6,97,802 એક્ટિવ કેસો છે. ભારતમાં કોરોનાના કેસ વધવાનો દર 3.89 ટકા છે. અત્યાર સુધી 5 ,07,177 દર્દીઓના કોરોનાના કારણે મૃત્યુ થઈ ચૂક્યા છે. દેશમાં 172 કરોડથી વધુ વેક્સીનના ડોઝ અપાઈ
દેશમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો થયો છે. ભારતમાં 24 કલાકમાં કોરોનાના નવા 58,077 કેસ નોંધાયા છે, 24 કલાકમાં 657 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે, 24 કલાકમાં 1.50 લાખથી વધુ દર્દીઓ કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે. દેશમાં કોરોનાના હાલ 6,97,802 એક્ટિવ કેસો છે. ભારતમાં કોરોનાના કેસ વધવાનો દર 3.89 ટકા છે. અત્યાર સુધી 5 ,07,177 દર્દીઓના કોરોનાના કારણે મૃત્યુ થઈ ચૂક્યા છે.
દેશમાં 172 કરોડથી વધુ વેક્સીનના ડોઝ અપાઈ ચૂક્યા છે. 24 કલાકમાં 48,18,867 વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. 60 વર્ષથી મોટી ઉમરના અને કોરોના વોરિયર્સમાં આવતા 1.64 કરોડથી વધુ લોકોને પ્રિકોશન ડોઝ અપાઈ ચૂક્યા છે. 10 જાન્યુઆરીથી દેશભરમાં પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી હતી.
Advertisement