Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ચૈત્ર નવરાત્રી 2024 ક્યારે છે? (Chaitra Navratri 2024 )

હિંદુ કેલેન્ડર મુજબ, ચૈત્ર મહિનાની પ્રતિપદા તિથિ 8 એપ્રિલ 2024 ના રોજ રાત્રે 11:50 વાગ્યાથી શરૂ થઈ રહી છે, જે 9 એપ્રિલના રોજ રાત્રે 8:30 વાગ્યે સમાપ્ત થઈ રહી છે. તેથી ચૈત્ર નવરાત્રિ 9 મી એપ્રિલ 2024 થી શરૂ થઈ...
11:55 AM Apr 05, 2024 IST | Kanu Jani

હિંદુ કેલેન્ડર મુજબ, ચૈત્ર મહિનાની પ્રતિપદા તિથિ 8 એપ્રિલ 2024 ના રોજ રાત્રે 11:50 વાગ્યાથી શરૂ થઈ રહી છે, જે 9 એપ્રિલના રોજ રાત્રે 8:30 વાગ્યે સમાપ્ત થઈ રહી છે. તેથી ચૈત્ર નવરાત્રિ 9 મી એપ્રિલ 2024 થી શરૂ થઈ રહી છે, જે 18 મી એપ્રિલે સમાપ્ત થશે.

ચૈત્ર નવરાત્રી ઘટસ્થાપના મુહૂર્ત 2024 (Chaitra Navratri 2024 )

ઘટસ્થાપન મુહૂર્ત – 9 એપ્રિલના રોજ સવારે 6:11 થી 10:23 સુધીઅભિજીત મુહૂર્ત- 9 તારીખ બપોરે 12:03 થી 12:54 વાગ્યા સુધી

ચૈત્ર નવરાત્રી 2024 કેલેન્ડર (પંચાગ) (Chaitra Navratri 2024 )

ચૈત્ર નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યા યાની, કાલરાત્રી અને મા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે.

ચૈત્ર નવરાત્રીનું મહત્ત્વ (Chaitra Navratri 2024 )

ચૈત્રી નવરાત્રીમાં માતાજીની સાધના કરવાનું માહાત્મ્ય છે.અનુષ્ઠાન કરવા માટે પણ આ નવ રાત્રીઓ ખાસ મહત્વની છે. મંત્ર સિધ્ધી માટે આ પર્વ અનેરૂ છે. 

માતા ભગવતી અને તેમના નવ સ્વરૂપોની પૂજા કરવાની પરંપરા છે. દેવી માતાની યોગ્ય રીતે પૂજા કરવાથી અને વ્રત રાખવાથી ભક્તને દરેક મુશ્કેલીમાંથી મુક્તિ મળે છે અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. તેની સાથે ઘરમાં હંમેશા સુખ-શાંતિ બની રહે છે.

ચૈત્ર નવરાત્રી 2024 – મા દુર્ગા ઘોડા પર સવાર થઈને આવશે

આ વર્ષે ચૈત્ર નવરાત્રિના દિવસે મા દુર્ગા ઘોડા પર સવાર થઈને આવનાર છે. તમને જણાવી દઈએ કે, માતાના વાહનની પસંદગી દિવસના હિસાબે કરવામાં આવે છે. આ વર્ષે ચૈત્રી નવરાત્રી મંગળવારથી શરૂ થઈ રહી છે. તેથી જ માતા દુર્ગા ઘોડા પર સવાર થઈને આવી રહી છે. ઘોડા પર સવારી કરવી એટલે સત્તામાં પરિવર્તન, આનાથી ભક્તોને તેમના જીવનમાં આવનારી તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળશે.

ચૈત્ર નવરાત્રીમાં દાન, પૂજન તેમજ દેવીની આરાધના જરૂરથી કરવી જોઈએ. આ દિવસે ભગવાન નારાયણના નાભિમાંથી કમળ ઉત્પન્ન થયું હતું, જેમાંથી સૃષ્ટિના રચિયતા બ્રહ્મદેવનું પ્રાગટ્ય થયું. ભગવાન સ્કંધના વર્ણન મુજબ અશ્વિન મહિનાનાં નોરતાએ બ્રહ્માજીનો દિવસ શરૂ થાય છે અને ચૈત્રી નવરાત્રીએ તેમનો દિવસ (6 મહિને) પૂરો થતા રાત્રી શરૂ થાય છે.

ચૈત્રી નવરાત્રીની નવમીએ ભગવાન શ્રી રામચંદ્રનું પ્રાગટ્ય થયું હોવાથી આ નવરાત્રીને 'રામ નવરાત્રી' પણ કહેવાય છે. માતા શક્તિએ જુદાં જુદાં રૂપ લઈને નિર્ણાયક કાર્યો સંપન્ન કર્યાં હતા તેથી તે અલગ અલગ નામે પૂજાય છે.

આસુરી શક્તિના નાશ માટે દુર્ગા સ્વરૂપનું પૂજન કરવું જરૂરી છે અને પૂજન દરમિયાન મા પાસે સાચા ભાવથી શક્તિ મેળવવા માટે નવ સ્વરૂપની નવ દુર્ગાનું પૂજન કરીને શક્તિ મેળવવી જરૂરી છે.

નવદુર્ગાના નવ સ્વરૂપોમાં શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માન્ડા, સ્કંદ માતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી અને સિદ્ધિદાત્રીનો સમાવેશ થાય છે.

ચૈત્રી નવરાત્રીમાં શ્રી દેવીસુક્તમ્, શક્રાદય સ્તુતિ તથા દુર્ગા સપ્તશતીના પાઠ કરવા સર્વ પ્રકારે લાભદાયી છે. આ પાઠનું શ્રવણ માત્ર કોઈપણ જીવનું જીવન સુખમય બનાવી શકે છે.

આ પણ વાંચો:  મંદિરમાં થાળ (adoration) ધરાવતાં ઘંટડી કેમ વગાડાય છે? 

Next Article