Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચૈત્ર નવરાત્રી 2024 ક્યારે છે? (Chaitra Navratri 2024 )

હિંદુ કેલેન્ડર મુજબ, ચૈત્ર મહિનાની પ્રતિપદા તિથિ 8 એપ્રિલ 2024 ના રોજ રાત્રે 11:50 વાગ્યાથી શરૂ થઈ રહી છે, જે 9 એપ્રિલના રોજ રાત્રે 8:30 વાગ્યે સમાપ્ત થઈ રહી છે. તેથી ચૈત્ર નવરાત્રિ 9 મી એપ્રિલ 2024 થી શરૂ થઈ...
ચૈત્ર નવરાત્રી 2024 ક્યારે છે   chaitra navratri 2024

હિંદુ કેલેન્ડર મુજબ, ચૈત્ર મહિનાની પ્રતિપદા તિથિ 8 એપ્રિલ 2024 ના રોજ રાત્રે 11:50 વાગ્યાથી શરૂ થઈ રહી છે, જે 9 એપ્રિલના રોજ રાત્રે 8:30 વાગ્યે સમાપ્ત થઈ રહી છે. તેથી ચૈત્ર નવરાત્રિ 9 મી એપ્રિલ 2024 થી શરૂ થઈ રહી છે, જે 18 મી એપ્રિલે સમાપ્ત થશે.

Advertisement

ચૈત્ર નવરાત્રી ઘટસ્થાપના મુહૂર્ત 2024 (Chaitra Navratri 2024 )

ઘટસ્થાપન મુહૂર્ત – 9 એપ્રિલના રોજ સવારે 6:11 થી 10:23 સુધીઅભિજીત મુહૂર્ત- 9 તારીખ બપોરે 12:03 થી 12:54 વાગ્યા સુધી

ચૈત્ર નવરાત્રી 2024 કેલેન્ડર (પંચાગ) (Chaitra Navratri 2024 )
  • પ્રથમ ચૈત્ર નવરાત્રિ – 09 એપ્રિલ 2024, મંગળવાર – મા શૈલપુત્રી પૂજા,
  • ઘટસ્થાપના : બીજી ચૈત્ર નવરાત્રી – 10 એપ્રિલ 2024, બુધવાર) 
  • મા બ્રહ્મચારિણી પૂજા ત્રીજી ચૈત્ર નવરાત્ર 11 એપ્રિલ 2024, ગુરુવારમા
  • ચંદ્રઘંટા પૂજાચોથી ચૈત્ર નવરાત્રી – 12 એપ્રિલ 2024, શુક્રવાર
  • મા કુષ્માંડા પૂજાપાંચમી ચૈત્ર નવરાત્રી – 13 એપ્રિલ 2024, શનિવાર 
  • મા સ્કંદમાતા પૂજાછઠ્ઠી ચૈત્ર નવરાત્રી – 14 એપ્રિલ 2024, રવિવાર
  • મા કાત્યાયની પૂજાસાતમી ચૈત્ર નવરાત્રી – 15 એપ્રિલ 2024, સોમવાર)
  • મા કાલરાત્રી પૂજા આઠમી ચૈત્ર નવરાત્રી – 16 એપ્રિલ 2024, મંગળવાર
  • મા મહાગૌરી પૂજા અને દુર્ગા મહાઅષ્ટમી પૂજાનવમી ચૈત્ર નવરાત્રી – 17 એપ્રિલ 2024, બુધવાર)
  • મા સિદ્ધિદાત્રી પૂજા, મહા નવમી અને રામ નવમી નવરાત્રિનો દસમો દિવસ – 18 એપ્રિલ 2024, ગુરુવાર)
  • દુર્ગા મૂર્તિ વિસર્જન ચૈત્ર નવરાત્રી 2024 (Chaitra Navratri 2024 Maa Durga) માં ના આ અવતારોની પૂજા કરવામાં આવશે

ચૈત્ર નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યા યાની, કાલરાત્રી અને મા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે.

Advertisement

ચૈત્ર નવરાત્રીનું મહત્ત્વ (Chaitra Navratri 2024 )

ચૈત્રી નવરાત્રીમાં માતાજીની સાધના કરવાનું માહાત્મ્ય છે.અનુષ્ઠાન કરવા માટે પણ આ નવ રાત્રીઓ ખાસ મહત્વની છે. મંત્ર સિધ્ધી માટે આ પર્વ અનેરૂ છે. 

માતા ભગવતી અને તેમના નવ સ્વરૂપોની પૂજા કરવાની પરંપરા છે. દેવી માતાની યોગ્ય રીતે પૂજા કરવાથી અને વ્રત રાખવાથી ભક્તને દરેક મુશ્કેલીમાંથી મુક્તિ મળે છે અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. તેની સાથે ઘરમાં હંમેશા સુખ-શાંતિ બની રહે છે.

Advertisement

ચૈત્ર નવરાત્રી 2024 – મા દુર્ગા ઘોડા પર સવાર થઈને આવશે

આ વર્ષે ચૈત્ર નવરાત્રિના દિવસે મા દુર્ગા ઘોડા પર સવાર થઈને આવનાર છે. તમને જણાવી દઈએ કે, માતાના વાહનની પસંદગી દિવસના હિસાબે કરવામાં આવે છે. આ વર્ષે ચૈત્રી નવરાત્રી મંગળવારથી શરૂ થઈ રહી છે. તેથી જ માતા દુર્ગા ઘોડા પર સવાર થઈને આવી રહી છે. ઘોડા પર સવારી કરવી એટલે સત્તામાં પરિવર્તન, આનાથી ભક્તોને તેમના જીવનમાં આવનારી તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળશે.

ચૈત્ર નવરાત્રીમાં દાન, પૂજન તેમજ દેવીની આરાધના જરૂરથી કરવી જોઈએ. આ દિવસે ભગવાન નારાયણના નાભિમાંથી કમળ ઉત્પન્ન થયું હતું, જેમાંથી સૃષ્ટિના રચિયતા બ્રહ્મદેવનું પ્રાગટ્ય થયું. ભગવાન સ્કંધના વર્ણન મુજબ અશ્વિન મહિનાનાં નોરતાએ બ્રહ્માજીનો દિવસ શરૂ થાય છે અને ચૈત્રી નવરાત્રીએ તેમનો દિવસ (6 મહિને) પૂરો થતા રાત્રી શરૂ થાય છે.

ચૈત્રી નવરાત્રીની નવમીએ ભગવાન શ્રી રામચંદ્રનું પ્રાગટ્ય થયું હોવાથી આ નવરાત્રીને 'રામ નવરાત્રી' પણ કહેવાય છે. માતા શક્તિએ જુદાં જુદાં રૂપ લઈને નિર્ણાયક કાર્યો સંપન્ન કર્યાં હતા તેથી તે અલગ અલગ નામે પૂજાય છે.

આસુરી શક્તિના નાશ માટે દુર્ગા સ્વરૂપનું પૂજન કરવું જરૂરી છે અને પૂજન દરમિયાન મા પાસે સાચા ભાવથી શક્તિ મેળવવા માટે નવ સ્વરૂપની નવ દુર્ગાનું પૂજન કરીને શક્તિ મેળવવી જરૂરી છે.

નવદુર્ગાના નવ સ્વરૂપોમાં શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માન્ડા, સ્કંદ માતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી અને સિદ્ધિદાત્રીનો સમાવેશ થાય છે.

ચૈત્રી નવરાત્રીમાં શ્રી દેવીસુક્તમ્, શક્રાદય સ્તુતિ તથા દુર્ગા સપ્તશતીના પાઠ કરવા સર્વ પ્રકારે લાભદાયી છે. આ પાઠનું શ્રવણ માત્ર કોઈપણ જીવનું જીવન સુખમય બનાવી શકે છે.

આ પણ વાંચો:  મંદિરમાં થાળ (adoration) ધરાવતાં ઘંટડી કેમ વગાડાય છે? 

Advertisement

.