Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કોવેક્સિનના સપ્લાય પર WHOએ મુક્યો પ્રતિબંધ, જાણો હવે શું થશે વેક્સિન લેનારનું?

કોરોના વાયરસે આખી દુનિયામાં હાહાકાર મચાવી રહ્યો છે. જે ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. કોરોના વાયરસને કાબૂમાં લેવા માટે ઘણી વેક્સિન બનાવવાનો દાવો કરવામાં આવ્યો છે અને વેક્સિનેશન પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. આ દરમિયાન, કોરોના કોવેક્સિનને લગતા એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે.  વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા કોવેક્સિન પર પ્રતિબંધ મૂક્યા પછી, તેને પ્રથમ વખત બનાવનારી કંપની ભાàª
08:34 AM Apr 03, 2022 IST | Vipul Pandya
કોરોના વાયરસે આખી દુનિયામાં હાહાકાર મચાવી રહ્યો છે. જે ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. કોરોના વાયરસને કાબૂમાં લેવા માટે ઘણી વેક્સિન બનાવવાનો દાવો કરવામાં આવ્યો છે અને વેક્સિનેશન પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. આ દરમિયાન, કોરોના કોવેક્સિનને લગતા એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે.  વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા કોવેક્સિન પર પ્રતિબંધ મૂક્યા પછી, તેને પ્રથમ વખત બનાવનારી કંપની ભારત બાયોટેકએ સ્પષ્ટતા જાહેર કરી છે.
હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકની કોવેક્સિનના આંતરરાષ્ટ્રીય સપ્લાય પર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ સપ્લાય પર પ્રતિબંધ મૂક્યો છે. આ અંગે માહિતી આપતા WHOએ કહ્યું કે કંપનીના ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસ (GMP)માં કમી છે. સંયુક્ત રાષ્ટ્રની એજન્સીઓ દ્વારા ભારત બાયોટેક દ્વારા ઉત્પાદિત કોવિડ-19 કોવેક્સીનનો સપ્લાય બંધ કરી દીધી છે.
ભારત બાયોટેકે શું કહયું? 
ભારત બાયોટેકે કહ્યું છે કે જે લોકોએ કોવેક્સીનનો ડોઝ લીધો છે તેમના વેક્સિન સર્ટિફિકેટ માન્ય છે. તે સંપૂર્ણપણે સલામત છે. કંપનીએ વધુમાં કહ્યું કે આ સુવિધા ઓપ્ટિમાઇઝેશન હેતુઓ માટે કોવેક્સિનનું ઉત્પાદન ધીમું કરી રહી છે. આવનારા સમયમાં અમે તેને ફરીથી અપડેટેડ લાવીશું. આ માટે કંપની તેની જાળવણી, ઉત્પાદન પ્રક્રિયા અને સુવિધા ઑપ્ટિમાઇઝેશન પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. કટોકટીમાં ઉપયોગ માટે COVID-19 મંજૂર કરવામાં આવ્યો હતો. કંપનીએ વેક્સિન બનાવવા માટે તમામ માપદંડો કડક રાખ્યા હતા.
ભારત બાયોટેકે કહ્યું – કોવેક્સિનની ગુણવત્તા સાથે કોઈપણ સમયે બાંધછોડ કરવામાં આવી નથી. કંપનીએ એ પણ સ્પષ્ટ કર્યું કે તેઓ વૈશ્વિક સ્તરે જરૂરિયાતને પહોંચી વળવા માટે સુધારણા અને વિકાસ તરફ કામ કરીને જરૂરિયાતોને પૂર્ણ કરી રહ્યાં છે.  WHOએ શનિવારે કહ્યું કે તેણે સંયુક્ત રાષ્ટ્રની એજન્સીઓ દ્વારા ભારત બાયોટેક દ્વારા બનાવવામાં આવેલી વેક્સિનની સપ્લાય બંધ કરી દીધી છે. આ સાથે, કંપનીને સુવિધાઓને અપગ્રેડ કરવા અને તપાસમાં જોવા મળેલી ખામીઓને સુધારવાનું સૂચન કરવામાં આવ્યું છે.
કોવેક્સિન સલામત છે
WHOએ કહ્યું કે આ વેક્સિન અસરકારક છે અને તેની સલામતી અંગે કોઈ ચિંતા નથી, પરંતુ સસ્પેન્શનથી વેક્સિનના સપ્લાયમાં વિક્ષેપ આવશે. WHOનું કહેવું છે કે 14 થી 22 માર્ચ દરમિયાન WHO પોસ્ટ ઈમરજન્સી યુઝ લિસ્ટિંગ (EUL) ઈન્સ્પેક્શનના પરિણામો બાદ આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
Tags :
BHARATBIOTECHcovaxincertificateGujaratFirstWHO
Next Article