વીતેલા 24 કલાકમાં કોરોનાના કારણે દેશમાં 47ના મોત
દેશમાં હજું પણ કોરોનાના કેસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસ 20 હજારથી વધુ નોંધાયા છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા મળી રહેલી માહિતી અનુસાર, છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાયરસના 20,038 નવા કેસ નોંધાયા છે. આ સાથે, ભારતમાં કોવિડ સંક્રમિતોની સંખ્યા વધીને 4,37,10,027 થઈ ગઈ છે. વળી, કોરોનાને કારણે છેલ્લા 24 કલાકમાં 47 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જે બાદ દેશમા
04:46 AM Jul 15, 2022 IST
|
Vipul Pandya
દેશમાં હજું પણ કોરોનાના કેસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસ 20 હજારથી વધુ નોંધાયા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા મળી રહેલી માહિતી અનુસાર, છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાયરસના 20,038 નવા કેસ નોંધાયા છે. આ સાથે, ભારતમાં કોવિડ સંક્રમિતોની સંખ્યા વધીને 4,37,10,027 થઈ ગઈ છે. વળી, કોરોનાને કારણે છેલ્લા 24 કલાકમાં 47 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જે બાદ દેશમાં મૃત્યુ આંક વધીને 5,25,604 થઈ ગયો છે.
આજે દેશમાં કોરોનાના સક્રિય કેસ વધીને 1,39,073 થઈ ગયા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં દૈનિક સકારાત્મકતા દર વધીને 4.44 ટકા થઈ ગયો છે.
સક્રિય કેસોમાં કુલ ચેપના 0.30 ટકાનો સમાવેશ થાય છે, જ્યારે રાષ્ટ્રીય રિકવરી રેટ 98.50 ટકા નોંધાયો હતો, તેમ મંત્રાલયે જણાવ્યું હતું.
Next Article