Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દેશમાં ફરી કોરોનાએ વધારી ચિંતા, છેલ્લા 24 કલાકમાં 23.7 ટકા સંક્રમણ વધ્યું

દુનિયાભરમાં અનેક દેશોમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે ભારતમાં પણ કોરોનાએ ચિંતા વધારી છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 23.7 ટકાના ઉછાળો આવ્યો છે. દેશમાં  2,628 નવા કોરોના કેસ નોંધાયા છે. કોરોના વાયરસના કારણે 18 લોકોના મોત થયા છે. આ સાથે દેશમાં કોવિડ-19થી મૃત્યુઆંક 5,24,525 પર પહોંચી ગયો છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 42,604,881 લોકોએ આ વાયરસને માત આપી છે. છેલ્લા 24 કલાકમાં 2,167 લોકો કોરોના વાયરસથી સાજા
04:02 AM May 26, 2022 IST | Vipul Pandya

દુનિયાભરમાં અનેક દેશોમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે ભારતમાં પણ કોરોનાએ ચિંતા વધારી છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 23.7 ટકાના ઉછાળો આવ્યો છે. 

દેશમાં  2,628 નવા કોરોના કેસ નોંધાયા છે. કોરોના વાયરસના કારણે 18 લોકોના મોત થયા છે. આ સાથે દેશમાં કોવિડ-19થી મૃત્યુઆંક 5,24,525 પર પહોંચી ગયો છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 42,604,881 લોકોએ આ વાયરસને માત આપી છે. છેલ્લા 24 કલાકમાં 2,167 લોકો કોરોના વાયરસથી સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની સંખ્યા 15,414 પર પહોંચી ગઈ છે.

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 13,13,687 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,92,82,03,555 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. 
ભારતમાં કુલ સંક્રમણના 0.04 ટકા એક્ટિવ કેસ છે જ્યારે 98.75 ટકા દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. દેશમાં કુલ સંક્રમણના 1.22 ટકા દર્દીઓના મૃત્યુ થઈ ચૂક્યા છે. 
Tags :
ActiveCoronaCovid19DailyCoronaUpdateDethDischargeGujaratFirstTotalVaccination
Next Article