Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 10 લોકોના થયા મોત

દેશમાં ઘણા દિવસોથી કોરોના સંક્રમણના ગ્રાફમાં ખાસ ઉછાળો આવ્યો નથી. કોરોનાના દૈનિક કેસ સતત ઉપર અને નીચે જતા રહે છે. એટલે કે, રોગચાળો ઝડપથી ફેલાવાનો ખતરો અત્યારે દેખાતો નથી. દેશમાં છેલ્લા 24 કલાકમાં 2600 ની આસપાસ નવા કેસ મળી આવ્યા છે. રસીકરણની સંખ્યા 219.21 કરોડ ડોઝને વટાવી ગઈ છે. હાલમાં દેશમાં સક્રિય કેસ માત્ર 0.06% છે, જ્યારે રિકવરી રેટ વધીને 98.76% થયો છે.છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોવિડ-19ના 2,678 નવા કà«
04:59 AM Oct 14, 2022 IST | Vipul Pandya
દેશમાં ઘણા દિવસોથી કોરોના સંક્રમણના ગ્રાફમાં ખાસ ઉછાળો આવ્યો નથી. કોરોનાના દૈનિક કેસ સતત ઉપર અને નીચે જતા રહે છે. એટલે કે, રોગચાળો ઝડપથી ફેલાવાનો ખતરો અત્યારે દેખાતો નથી. દેશમાં છેલ્લા 24 કલાકમાં 2600 ની આસપાસ નવા કેસ મળી આવ્યા છે. રસીકરણની સંખ્યા 219.21 કરોડ ડોઝને વટાવી ગઈ છે. હાલમાં દેશમાં સક્રિય કેસ માત્ર 0.06% છે, જ્યારે રિકવરી રેટ વધીને 98.76% થયો છે.
છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોવિડ-19ના 2,678 નવા કેસના આગમન સાથે, દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 4,46,23,997 થઈ ગઈ છે. વળી, સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા વધીને 26,583 થઈ ગઈ છે. શુક્રવારે સવારે 8 વાગ્યે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, કોવિડ-19થી વધુ 10 લોકોના મોત સાથે મૃત્યુઆંક વધીને 5,28,857 થઈ ગયો છે. આ 10 કેસોમાં ત્રણ લોકોનો પણ સમાવેશ થાય છે. મંત્રાલયે કહ્યું કે, સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા કુલ કેસના 0.06 ટકા છે, જ્યારે કોવિડ-19માંથી સાજા થવાનો રાષ્ટ્રીય દર વધીને 98.76 ટકા થઈ ગયો છે. 

મંત્રાલય દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં 74 કેસનો વધારો થયો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતમાં દૈનિક સંક્રમણ દર 1.13 ટકા અને સાપ્તાહિક ચેપ દર 1.07 ટકા નોંધાયો છે. મંત્રાલયે કહ્યું કે, કોવિડ-19માંથી સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 4,40,68,557 થઈ ગઈ છે, જ્યારે મૃત્યુ દર 1.19 ટકા નોંધાયો છે. 
આ પણ વાંચો - દેશમાં આજે કોરોનાના કેસમાં થયો વધારો, આટલા નોંધાયા કેસ
Tags :
CoronaUpdateCoronaVirusCovid19Covid19UpdateDeathGujaratFirstvaccine
Next Article