VS Hospital Scam : આખરે શું છે 'ક્લિનિકલ ટ્રાયલ' ? જેને લઈને વકર્યો છે વિવાદ! વાંચો અહેવાલ
- અમદાવાદની VS હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ વિવાદ
- VS હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલમાં ત્રણ લોકોનાં મોત થયાનો આક્ષેપ
- 500 થી વધુ દર્દીઓ પર ક્લિનિકલ ટ્રાયલ થયા હોવાનો આરોપ
- 'ક્લિનિકલ ટ્રાયલ' શું હોય છે ? તેની પ્રક્રિયા શું ? તેના વિશે જાણો
VS Hospital Scam : અમદાવાદની (Ahmedabad) જૂની અને જાણીતી VS હોસ્પિટલમાં માત્ર ગુજરાતમાંથી જ નહીં પણ સમગ્ર દેશમાંથી દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે. વીએસ હોસ્પિટલમાં સારી સારવાર મળશે, સુવિધા સારી મળશે, દેખરેખ સારી રીતે થશે તેવો વિશ્વાસ અહીં આવતા દરેક દર્દી અને તેનાં સગાઓને હોય છે. 90 વર્ષથી પણ વધુ સમયથી શહેરમાં અડીખમ એવી વીએસ હોસ્પિટલનો ઇતિહાસ ગૌરવવંતો રહ્યો છે. પરંતુ, સમયની સાથે-સાથે હોસ્પિટલ તંત્રની બેદરકારી અને ઉદાસીનતાનાં કારણે વીએસ હોસ્પિટલની ખ્યાતિને ગંભીર અસર થઈ છે. ત્યારે હવે વધુ એક વિવાદમાં VS હોસ્પિટલનું તંત્ર સપડાયું છે. હોસ્પિટલમાં દર્દીઓ પર થતાં ક્લિનિક ટ્રાયલને (Clinical Trials on Patients) લઈ મોટો વિવાદ ઊભો થયો છે. હોસ્પિટલ તંત્ર સામે ગંભીર આક્ષેપ થઈ રહ્યા છે. ત્યારે એ સમજવું જરૂરી છે કે આ ક્લિનિક ટ્રાયલ (Clinical Trials on Patients) આખરે છે શું ?
આ પણ વાંચો - VS Hospital Scam : કોંગ્રેસનાં કોર્પોરેટરનાં આરોપો બાદ સુપરિન્ટેન્ડેન્ટની પ્રતિક્રિયા, જાણો શું કહ્યું ?
શું છે ક્લિનિકલ ટ્રાયલ ?
ક્લિનિક ટ્રાયલ (Clinical Trials on Patients) વાત કરીએ તો નામની જે આ એક પરીક્ષણ કે પ્રયોગ છે જે નવી દવા માટે કરવામાં આવે છે. ફાર્મા કંપની (Pharmaceutical Companies) જ્યારે પણ કોઈ નવી દવાની શોધ કરે છે ત્યારે સૌથી પહેલો પ્રયોગ પ્રાણીઓ પર કરે છે. પ્રાણીઓ પર સફળ પરીક્ષણ બાદ હ્યુમન ટ્રાયલ માટે મેડિકલ કાઉન્સિલ પાસે મંજૂરી માંગવામાં આવે છે. મેડિકલ કાઉન્સિલની મંજૂરી મળ્યા બાદ હ્યુમન ટ્રાયલ કરવા માટે હોસ્પિટલમાં મોકલાય છે. ડોક્ટર્સની હાજરીમાં એક દર્દીને દવા આપીને તેનાં પરિણામો નોંધાય છે. જો કે, નવી દવાનાં પ્રયોગ પહેલા જે તે દર્દી પાસે પણ તેની સહમતી માગવામાં આવે છે.
આ પણ વાંચો - VS Hospital : AMC ની સ્પષ્ટતા, NHL મેડિકલ કોલેજનાં ડીન અને પ્રોફેસરની પ્રતિક્રિયા
મેડિકલ કાઉન્સિલની મંજૂરી મળ્યા બાદ દવાનું ઉત્પાદન થઈ શકે છે
ત્યાર બાદ નવી દવાનો સમગ્ર રિપોર્ટ ફાર્મા કંપનીને મોકલવામાં આવે છે. ત્યાર પછી મેડિકલ કાઉન્સિલની (Medical Council) મંજૂરી મળ્યા બાદ દવાનું ઉત્પાદન થઈ શકે છે. જણાવી દઈએ કે, અગાઉ કોંગ્રેસનાં કોર્પોરેટર રાજશ્રી કેસરીએ (Rajshree Kesari) VS હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલમાં ત્રણ લોકોનાં મોત થયા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. તેમણે 500 થી વધુ દર્દીઓ પર ક્લિનિકલ ટ્રાયલ (Clinical Trials on Patients) થયા હોવાનો આરોપ પણ કર્યો હતો. જ્યારે બીજી તરફ હોસ્પિટલ તંત્ર દ્વારા તપાસની વાત કરાઈ રહી છે. આ મામલે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે (Rushikesh Patel) પણ કહ્યું હતું કે, મામલો સામે આવતા જવાબદાર 8 ડોક્ટર્સને સસ્પેન્ડ કરાયા છે. સાથે જ ફાર્માકોલોજિસ્ટ એક્સપર્ટને પણ સસ્પેન્ડ કરાયા છે. ડિટેઇલ તપાસ ચાલુ છે, રિપોર્ટ બાદ વધુ પગલાં લેવાશે. હાલ સસ્પેન્શન સુધીની પ્રાથમિક કાર્યવાહી કરાઈ છે.
આ પણ વાંચો - Sabarkantha : ઈડર માર્કેટયાર્ડ ભરતી કૌભાંડની તપાસમાં ચોંકાવનારો ખુલાસો! ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ!