કરિયાણાની દુકાને જઈ રહેલી સગીરાને ખેંચીને ઘરમાં લઈ ગયો યુવક, અન્ય યુવકે કર્યું ન કરવાનુ કામ
અમદાવાદ શહેરમાં એક બાદ એક મહિલાઓ પર થતા અત્યાચારની ધટનાઓ પોલીસ ચોંપડે નોંધાઈ રહી છે. તેવામાં ખોખરા પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ દિકરી સાથે થયેલુ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.ખોખરામાં નોકરી કરતી મહિલાને સંતાનમાં 3 દિકરી અને એક દિકરો છે. જેમાં મહિલાના પતિ 10 વર્ષ પહેલા બિમારીથી અવસાન પામ્યા હોવાથી મહિલા વિધવા તરીકેનું જીવન વિતાવે છે.7મી જૂનનાં રોજ મહિલા નોકરી પરથી ઘરે પરત ફર્યા હતા,
12:17 PM Jun 11, 2022 IST
|
Vipul Pandya
અમદાવાદ શહેરમાં એક બાદ એક મહિલાઓ પર થતા અત્યાચારની ધટનાઓ પોલીસ ચોંપડે નોંધાઈ રહી છે. તેવામાં ખોખરા પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ દિકરી સાથે થયેલુ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.ખોખરામાં નોકરી કરતી મહિલાને સંતાનમાં 3 દિકરી અને એક દિકરો છે. જેમાં મહિલાના પતિ 10 વર્ષ પહેલા બિમારીથી અવસાન પામ્યા હોવાથી મહિલા વિધવા તરીકેનું જીવન વિતાવે છે.
7મી જૂનનાં રોજ મહિલા નોકરી પરથી ઘરે પરત ફર્યા હતા, તે સમયે તેઓની ચાલીનાં માણસો મહિલાની દિકરી બાબતે વાતો કરી રહ્યા હતા. જેથી તેઓએ ઘરે પહોંચીને દિકરીને આ બાબતે પુછતા તેણે પોતાની સાથે બનેલી ધટનાની આપવિતી જણાવી હતી.ધોરણ 9માં અભ્યાસ કરતી સગીરા 4 જૂનનાં રોજ બપોરનાં 12 વાગેનાં અરસામાં કરિયાણાની દુકાને તુવેર દાળ લેવા ગઈ હતી.તે વખતે ખોખરા વિસ્તારમાં રહેતા અતુલ રાજપુત અને મહેન્દ્ર રાજપુત નામનાં યુવકો ચાલીના નાકે ઉભા હતા. સગીરા જઈ રહી હતી તે સમયે મહેન્દ્ર રાજપુત નામનાં યુવકે અતુલ રાજપુત નામનાં યુવકને સગીરાને ઘરમાં ખેંચીને લઈ જવાનું જણાવતા અતુલ રાજપુત સગીરાને ખેંચીને ઘરમાં લઈ ગયો હતો.
મહેન્દ્ર રાજપુતે તેનાં ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો જે બાદમાં અતુલ રાજપુતે સગીરા સાથે બળજબરી પૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો.જે બાદ આરોપીએ સગીરાને આ વાત કોઈને કહીશ તો તારા ભાઈને મારી નાખીશ તે પ્રકારની ધમકી આપતા સગીરા ડરી ગઈ હતી.જોકે માતાને આ તમામ હકીકત સગીરાએ જણાવતા માતાએ ખોખરા પોલીસ મથકે અતુલ રાજપૂત અને મહેન્દ્ર રાજપુત નામનાં યુવક સામે ફરિયાદ નોંધાવી હતી.આ મામલે પોલીસે ગુનો દાખલ કરી બન્ને આરોપીઓની ધરપકડ કરી છે.પકડાયેલા આરોપીઓની તપાસ કરતા બન્ને આરોપીઓ કૌટુંબિક ભાઈ અને ડેરી પાર્લર ચલાવતા હોવાનું ખુ્લ્યું છે. હાલ તો પોલીસે આરોપીઓને મેડિકલ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Next Article