Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાનની તૈયારી પૂરજોશમાં

હર ઘર તિરંગા અભિયાનને લઇને રાજ્યભરમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. દેશના સામાન્ય નાગરિકો ઉપરાંત તમામ સરકારી વિભાગો, મંત્રાલયો તેમજ ખાનગી કંપનીઓ હર ઘર ત્રિરંગા અભિયાનની તૈયારી કરી રહી છે. મહત્વનું છે કે, તાજેતરમાં, સ્વતંત્રતાના અમૃત પર્વની ઉજવણીમાં, વડાપ્રધાન મોદીએ હર ઘર પર તિરંગા અભિયાનની જાહેરાત કરી હતી. પૂરજોશમાં ચાલી રહી છે તૈયારીઓવડાપ્રધાન મોદીએ મન કી બાતમાં કહ
07:32 AM Aug 08, 2022 IST | Vipul Pandya
હર ઘર તિરંગા અભિયાનને લઇને રાજ્યભરમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. દેશના સામાન્ય નાગરિકો ઉપરાંત તમામ સરકારી વિભાગો, મંત્રાલયો તેમજ ખાનગી કંપનીઓ હર ઘર ત્રિરંગા અભિયાનની તૈયારી કરી રહી છે. મહત્વનું છે કે, તાજેતરમાં, સ્વતંત્રતાના અમૃત પર્વની ઉજવણીમાં, વડાપ્રધાન મોદીએ હર ઘર પર તિરંગા અભિયાનની જાહેરાત કરી હતી. 
પૂરજોશમાં ચાલી રહી છે તૈયારીઓ
વડાપ્રધાન મોદીએ મન કી બાતમાં કહ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત 13 થી 15 ઓગસ્ટ સુધી એક ખાસ આંદોલન - 'હર ઘર તિરંગા' નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ચળવળનો એક ભાગ બનીને, 13 થી 15 ઓગસ્ટ સુધી, તમારે તમારા ઘરે તિરંગો ફરકાવવો જોઈએ. તેમણે કહ્યું કે, તિરંગો આપણને એક કરે છે, દેશ માટે કંઈક કરવાની પ્રેરણા આપે છે. આ અભિયાન અંતર્ગત ગુજરાતમાં પણ પૂરજોશથી તૈયારીઓ ચાલી રહી છે. અમદાવાદમાં આજે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત અલગ-અલગ વિસ્તારમાં તિરંગા યાત્રા યોજાઈ હતી. શહેરના ઘાટલોડિયા ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. અહીં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ફ્લેગ ઓફ કરી યાત્રા શરૂ કરાઈ હતી. અહીં આવેલા ઉમિયા ચોક ખાતે અનેક લોકોની હાજરી જોવા મળી હતી.

ભારતના નાગરિકો રાષ્ટ્રીય ધ્વજ સાથે ખૂબ જ વ્યાવહારિક બંધન ધરાવે છે. આમ, સરકારે હર ઘર તિરંગા અભિયાન શરૂ કર્યું જેમાં દરેક ભારતીયને 13 ઓગસ્ટ 2022 થી 15 ઓગસ્ટ 2022 સુધી રાષ્ટ્રધ્વજ ફરકાવવાની તક મળે છે. 
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી દિલ્હીની મુલાકાત દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને ’આઝાદી કા અમૃત મહોત્સવ’ ની ઉજવણી અંતર્ગત આગામી 13 થી 15 ઓગષ્ટ દરમ્યાન યોજાનાર હર ઘર તિરંગા અભિયાન અન્વયે ગુજરાતની અગ્રેસરતા અને તૈયારીઓ અંગે જાણકારી આપી હતી.

Koo App

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નવી દિલ્હીની મુલાકાત દરમ્યાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને ’આઝાદી કા અમૃત મહોત્સવ’ ની ઉજવણી અંતર્ગત આગામી 13 થી 15 ઓગષ્ટ દરમ્યાન યોજાનાર હર ઘર તિરંગા અભિયાન અન્વયે ગુજરાતની અગ્રેસરતા અને તૈયારીઓ અંગે જાણકારી આપી હતી.

- CMO Gujarat (@CMOGujarat) 7 Aug 2022

હર ઘર તિરંગા અભિયાન શું છે ?
15 ઓગસ્ટે આઝાદીના 75 વર્ષ પૂર્ણ થશે. આ અવસર પર 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી કેન્દ્ર સરકાર દરેક ઘરે તિરંગો ઝુંબેશ ચલાવશે. લગભગ દરેક ઘરની છત પર તિરંગો લહેરાવવાનો હેતુ છે. આ અભિયાન અંગે કેન્દ્ર સરકારના સંસ્કૃતિ મંત્રાલયના સેક્રેટરી ગોવિંદ મોહને જણાવ્યું કે, આ અભિયાન પોતાના તિરંગાની આન, બાન અને શાનને સમર્પિત થશે. દરેક દેશવાસીઓ તિરંગા વિશે વધુ માહિતગાર થઈ શકશે અને ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા 2002 વિશે જાણકારી મેળવી શકશે. રાષ્ટ્રગાન પોર્ટલ અભિયાનને લગતી તમામ મહત્વપૂર્ણ માહિતી આપે છે. સરકારની વિચારણા મુજબ નાગરિકો નિશ્ચિતપણે વધુ દેશભક્તિ અનુભવશે અને અભિયાન પછી તિરંગા સાથે જોડાયેલા રહેશે.
રાષ્ટ્રધ્વજ ફરકાવવાના નિયમોમાં થયો ફેરફાર
કેન્દ્ર સરકારે તિરંગો ફરકાવવા સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા છે. જૂના નિયમો અનુસાર સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ધ્વજ ફરકાવી શકાતો હતો, પરંતુ નવા નિયમ પ્રમાણે હવે રાત્રે પણ તિરંગો ફરકાવી શકાશે. જણાવી દઈએ કે, ભારત સરકારે ફ્લેગ ઓફ કોડ ઓફ ઈન્ડિયાના નિયમોમાં સુધારો કર્યો છે. દેશમાં ધ્વજ ફરકાવવો, પ્રદર્શિત કરવો અથવા તેનો ઉપયોગ કરવો એ ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા 2002 અને રાષ્ટ્રીય ગૌરવના અપમાન નિવારણ અધિનિયમ, 1971 હેઠળ આવે છે. ભારત સરકારે 20 જુલાઈના રોજ આ કાયદામાં ફેરફાર કર્યો છે. હવે આપણને રાત્રે પણ તિરંગો ફરકાવવાની આઝાદી મળી છે.
આ પણ વાંચો - સુરતમાં યોજાઇ તિરંગા પદયાત્રા, શહેરીજનોમાં ભારે ઉત્સાહ
Tags :
AhmedabadCMBhupendraPatelGujaratFirstHarGharTiranga
Next Article