વિશ્વઉમિયાધામ ખાતે વડાપ્રધાનના માતૃશ્રી હિરાબાના સ્વાસ્થ્ય માટે મા ઉમિયાની મહાઆરતી
દેશના પ્રખર રાષ્ટ્રભક્ત આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માતૃશ્રી હીરાબાની તબિયત નાદુરસ્ત થતા તેઓને અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ત્યારે માતૃશ્રી હિરાબાના સારા સ્વાસ્થ્ય અને ઝ઼ડપથી સ્વાસ્થ્ય સુધારાના ઉદ્દેશ્યથી વિશ્વઉમિયાધામ-જાસપુર, અમદાવાદ ખાતે જગત જનની મા ઉમિયાની મહાઆરતીનું આયોજન કરાયું હતું. હિરાબાના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવàª
03:23 PM Dec 28, 2022 IST
|
Vipul Pandya
દેશના પ્રખર રાષ્ટ્રભક્ત આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માતૃશ્રી હીરાબાની તબિયત નાદુરસ્ત થતા તેઓને અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ત્યારે માતૃશ્રી હિરાબાના સારા સ્વાસ્થ્ય અને ઝ઼ડપથી સ્વાસ્થ્ય સુધારાના ઉદ્દેશ્યથી વિશ્વઉમિયાધામ-જાસપુર, અમદાવાદ ખાતે જગત જનની મા ઉમિયાની મહાઆરતીનું આયોજન કરાયું હતું.
હિરાબાના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા વિશ્વઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલ, ઉપપ્રમુખ ડિ. એન.ગોલ, ખજાનચી કાંતિભાઈ રામ સહિત વિશ્વઉમિયાધામના મહિલા એવમ્ મુખ્ય સંગઠનના અમદાવાદ શહેરના હોદ્દેદારો મહાઆરતીમાં ઉપસ્થિત રહ્યા હતા.
માતૃશ્રી હિરાબાનું સ્વાસ્થ્ય ઝડપથી સ્વસ્થ થાય એવી મા ઉમિયાને પ્રાર્થનાઃ આર.પી.પટેલ
હું એવું અંગત પણે માનું છું કે માણસને કોઈ પણ ઉમરે માની મમતા અને વ્હાલ સૌથી વધુ ગમે છે. તેવા જ સમયે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માતા હિરાબા અસ્વસ્થ હોય ખુબ ચિંતાનો વિષય છે. ત્યારે વિશ્વઉમિયાધામના સૌ ટ્રસ્ટી મિત્રો અને સંગઠનના મિત્રોએ આજે જગત જનની મા ઉમિયાને પ્રાર્થના કરી છે તેઓનું સ્વાસ્થ્ય ઝડપથી સુધારા પર આવે અને સ્વસ્થ્ય થાય.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article