50 રૂપિયા માટે જાહેરમાં યુવકની હત્યા, પોલીસે એક કિશોર સહિત 3ને પકડ્યા
અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં 50 રૂપિયા માટે એક યુવકને છરીના ઘા ઝીકીને હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. જે મામલે પોલીસે એક સગીર સહિત 3 આરોપીની ધરપકડ કરી છે. પૈસાની લેતી દેતીની અદાવતમાં હત્યા કરી હોવાનું ખુલ્યું.ઇસનપુર પોલીસે હત્યાના ગુનામાં ઝડપેલા શુભમ રાજપૂત અને શિવમ બાથમેં 50 રૂપિયા માટે એક યુવકની હત્યા કરી દીધી.ઘટના એવી છે કે ઇસનપુર વિસ્તારમાં 30 વર્ષિય નિલેષ બાથમ પરિવાર સાથે રà
11:04 AM Aug 31, 2022 IST
|
Vipul Pandya
અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં 50 રૂપિયા માટે એક યુવકને છરીના ઘા ઝીકીને હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. જે મામલે પોલીસે એક સગીર સહિત 3 આરોપીની ધરપકડ કરી છે. પૈસાની લેતી દેતીની અદાવતમાં હત્યા કરી હોવાનું ખુલ્યું.
ઇસનપુર પોલીસે હત્યાના ગુનામાં ઝડપેલા શુભમ રાજપૂત અને શિવમ બાથમેં 50 રૂપિયા માટે એક યુવકની હત્યા કરી દીધી.ઘટના એવી છે કે ઇસનપુર વિસ્તારમાં 30 વર્ષિય નિલેષ બાથમ પરિવાર સાથે રહેતો હતો અને ઓટો રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. બે દિવસ પહેલા નિલેષ બાથમ હનુમાન મંદિર પાસે ઉભો હતો ત્યારે અજાણ્યા શખ્સો ઝઘડો કરી છરી મારીને ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત નિલેશને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. જ્યાં સારવાર દરમ્યાન નિલેશ ભાઈનું મૃત્યુ થયું. પોલીસે હત્યાનો ગુનો નોંધી CCTV ચેક કરતા બાઈક પર આવેલા આરોપીને મૃતકની બહેન ઓળખી જતા હત્યાનો ભેદ પોલીસે ઉકેલી કાઢીને સગીર સહિત 3 ની ધરપકડ કરી છે.
આરોપી
પકડાયેલા આરોપી શુભમ અને શિવમ શાકભાજીની લારીમાં ધધો કરે છે. મૃતક નિલેશ આરોપી પાસે રૂ 50 લેવા ગયો હતો. પરંતુ આરોપી પૈસા આપતો નહતો. જેથી નિલેશ રોજ ઉઘરાણી કરવા જતો હતો. જેની અદાવત રાખીને આરોપીએ હત્યા કરવાનું ષડયંત્ર રચ્યું. અને પોતાના ભાઈ સાથે મળીને નિલેશ પર છરીના ઘા ઝીકી દીધા. પરંતુ આરોપી અને મૃતક કુટુંબમાં સંબંધી થતા હોવાથી મૃતકની બહેન તેઓને ઓળખી ગઈ હતી.. આરોપીઓ સામાન લઈને ઉત્તરપ્રદેશ ફરાર થઇ જવાના પ્રયાસમાં જ હતા પરંતુ પોલીસે તેઓને ઝડપી લીધા..
રૂ 50 માટે એક યુવકની હત્યા કેસમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરીને હત્યા માટે ઉપયોગમાં લીધેલું હથિયાર જપ્ત કરવાની કાર્યવાહી કરી છે.. આ હત્યા ફક્ત 50 રૂપિયા માટે જ થઈ કે અન્ય કોઈ કારણ છે તે મુદ્દે વધુ તપાસ શરૂ કરી.
Next Article