આયશાની જેમ વધુ એક પરણિતા પતિના ત્રાસથી નદીમાં કુદવા ગઈ, હાજર લોકોએ બચાવી લીધી
અમદાવાદની આયશાના વિડીયોએ ભલભલાને હચમચાવી દીધા હતા. પતિના ત્રાસના કારણે આતમહત્યા કરનાર આયશાના પતિને કોર્ટ સજા ફટકારી છે. શુક્રવાર બપોરે અમદાવાદ રિવર ફ્રન્ટ પાસે એક પરણીત મહિલા દોડતી દોડતી નદીમાં કૂદવા ગઈ હતી. અચાનક મહિલા દોડતા આસપાસના લોકો ત્યાં પહોચી ગયા હતા. જેમણે મહિલાને બચાવી લીધી હતી. આ મહિલા ખૂબ પરેશાન હતી. તેની આંખોમાંથી ચોધાર આંસુ નીકળી રહ્યા હતા. ત્યારે આ મહિલા કહી રહી હતી કે, મારા લગ્ન નાની ઉંમરે થઈ ગયા છે. મારા પતિ સાથે મારો ઝઘડો છે, જેથી હું આત્મહત્યા કરવા આવી છું. આ સમગ્ર બનાવને લઈને રિવરફ્રન્ટ પોલીસને જાણ કરવામાં આવી હતી. રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસની ટીમ તાત્કાલિક આ બનાવની જગ્યાએ પહોંચી ગઈ હતી. મહિલાનો પતિ કઈ વાતને લઈને પરેશાન કરતો હતો. બંને વચ્ચે શું અણબનાવ હતો તેની વિગત પોલીસ દ્વારા મેળવાઈ રહી છે.