Eye care: આંખોની રોશની સુધારવા માટે ગાજર રામબાણ ઈલાજ, આચાર્ય બાલકૃષ્ણએ જણાવ્યા ઉપાયો
આયુર્વેદ (Ayurveda)ના વિદ્વાન આચાર્ય બાલકૃષ્ણએ શિયાળામાં ઉપલબ્ધ ગાજરના રસને દ્રષ્ટિ સુધારવા માટે Super food ગણાવ્યુ છે. ગાજરમાં રહેલું બીટા-કેરોટીન વિટામિન Aમાં રૂપાંતરિત થાય છે. જે રાત્રિ અંધત્વ અને મોતિયા સામે રક્ષણ આપે છે. ગાજરના રસથી આંખોની બગડતી દ્રષ્ટિમાં સુધારો થઈ શકે છે. આચાર્યએ ગાજરના સેવનથી કેટલાક ઉપાયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં સાર્વજનિક કર્યા છે. આવો જાણીએ બાલકૃષ્ણએ આપેલી ટિપ્સ.
Live Tv
Kheda: ડાકોર ગોમતી ઘાટ પરની ગંદકી જોઈ લાલઘૂમ થયા કલેક્ટર, ચીફ ઓફિસર સહિત અધિકારીઓ પર તવાઈ
Kheda: ખેડા જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે ડાકોરમાં ટ્રાફિક, પાર્કિંગ અને સ્વચ્છતાની ગંભીર સમસ્યાઓ મામલે સરપ્રાઇઝ વિઝિટ કરી હતી. વિઝિટ દરમિયાન નગરપાલિકાની અનેક ખામીઓ સામે આવી હતી, જેના પગલે કલેક્ટર લાલઘૂમ થઈ ગયા હતા. ખાસ કરીને ગોમતી ઘાટ પર સ્વચ્છતાનો અભાવ જોઈને તેમણે ચીફ ઓફિસર સંજય પટેલને તાત્કાલિક આડે હાથ લીધા હતા.
Delhi Air Pollution News: AQI 443 પર, શ્વાસ લેવો પણ જોખમી! 18 વિસ્તારો 'ગેસ ચેમ્બર' બન્યા.
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રિપોર્ટ મુજબ દિલ્હી-NCRની હવાની ગુણવત્તા અત્યંત ખતરનાક બની છે, જ્યાં AQI 400ને પાર કરી ગયો છે. વઝીરપુર, નરેલા સહિત લગભગ 18 વિસ્તારો 'ડાર્ક રેડ ઝોન'માં છે. નોઇડા અને ગાઝિયાબાદમાં પણ AQI 420+ છે. ઝેરી ધુમ્મસને કારણે ગળા અને શ્વાસની તકલીફો વધી છે. ડોક્ટરોએ બાળકો અને વૃદ્ધોને ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે.
America: પોતાના જ ઘરમાં ઘેરાયા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, 3 સાંસદે કહ્યું, ભારત પરથી 50% ટેરિફ હટાવો
ભારત પર 50% ટેરિફ લાગાવ્યા બાદ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ને પોતાના જ દેશમાં આકરી ટિકાનો સામનો કરવો પડી રહ્યો છે. યુએસ કોંગ્રેસમાં ટેરિફ (Tariff) હટાવવાની માંગ કરતો એક ઠરાવ રજૂ કરવામાં આવ્યો છે. ભારતીય મૂળના અમેરિકન સાંસદ રાજા કૃષ્ણમૂર્તિ, ડેબોરાહ રોસ અને માર્ક વેસીએ ટેરિફના નિર્ણયને અમેરિકી નાગરિકો (Americans) માટે જોખમી ગણાવ્યો છે. આ ત્રણેય અમેરિકી સાંસદોએ ટ્રમ્પે જાહેર કરેલા રાષ્ટ્રીય કટોકટીનો અંત લાવવાનો ઠરાવ રજૂ કર્યો હતો.
Zubeen Garg ના મૃત્યુ મામલે 3500 પાનાની ચાર્જશીટ દાખલ કરતી SIT
સપ્ટેમ્બર માસમાં લોકપ્રિય સિંગર ઝુબિન ગર્ગ સિંગાપોરમાં આયોજિત કાર્યક્રમમાં પરફોર્મન્સ આપનાર હતા. તે પહેલા તેઓ સ્કુબા ડાઇવીંગ કરવા માટે પહોંચ્યા હતા. જ્યાં તેમનું અકસ્માતે ડૂબી જવાથી મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું. દુર્ઘટના બાદ તેમને હોસ્પિટલમાં લઇ જવાયા, પરંતુ બચાવી શકાયા નહતા. મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને આસામ સરકારે SIT ની રચના કરી, જેણે તાજેતરમાં કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી છે.
Messi India Tour : ₹10 લાખની ટિકિટ: મેસ્સીને મળો, જાણો VIP 'મીટ એન્ડ ગ્રીટ'માં શું છે
ફૂટબોલ સ્ટાર લિયોનેલ મેસ્સી 'GOAT ટૂર' માટે કોલકાતા આવી પહોંચ્યા છે. આ પ્રવાસમાં તેઓ 3 દિવસમાં 4 શહેરોની મુલાકાત લેશે અને PM નરેન્દ્ર મોદીને પણ મળશે. મેસ્સી સાથે મળવા અને હાથ મિલાવવા માટે આયોજકોએ ₹10 લાખનું VIP 'મીટ એન્ડ ગ્રીટ' પેકેજ જાહેર કર્યું છે. આ પેકેજમાં ફોટો અને પ્રીમિયમ એક્સેસ મળે છે. તેમના સાથી ખેલાડીઓ સુઆરેઝ અને ડી પૉલ પણ આ પ્રવાસમાં જોડાયા છે.
ડાયાબિટીશ મેનેજમેન્ટ માટે જાણીતી દવા Ozempic ભારતમાં લોન્ચ, વાંચો વિગતવાર
હાલના સમયમાં ભારત સહિતના દેશોમાં ડાયાબિટીશની સ્થિતી ચિંતાજનક ઝડપે વધી રહી છે. દુનિયામાં ડાયાબિટીશના મેનેજમેન્ટ માટે જાણીતી Ozempic દવાને ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. આની ખાસિયત છે કે, અઠવાડિયામાં એક જ વખત તેને ડોક્ટરના જણાવ્યા અનુસાર લેવાની હોય છે. ડાયાબિટીશની સાથે વજન ઓછું કરવામાં પણ આ દવા મહત્વની સાબિત થતી હોવાના કેટલાક પુરાવા આપણી સામે છે.
Khyati Hospital કાંડ : Rajshree Kothari અને Sanjay Patodia ને ઝટકો! કોર્ટે ડિસ્ચાર્જ અરજી ફગાવી
ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં કોર્ટે આરોપીની કેસ ડિસ્ચાર્જ અરજી ફગાવી દીધી છે. રાજશ્રી કોઠારી, સંજય પટોડિયાની કેસ ડિસ્ચાર્જ અરજી ફગાવી દીધી છે.
Eye care: આંખોની રોશની સુધારવા માટે ગાજર રામબાણ ઈલાજ, આચાર્ય બાલકૃષ્ણએ જણાવ્યા ઉપાયો
આયુર્વેદ (Ayurveda)ના વિદ્વાન આચાર્ય બાલકૃષ્ણએ શિયાળામાં ઉપલબ્ધ ગાજરના રસને દ્રષ્ટિ સુધારવા માટે Super food ગણાવ્યુ છે. ગાજરમાં રહેલું બીટા-કેરોટીન વિટામિન Aમાં રૂપાંતરિત થાય છે. જે રાત્રિ અંધત્વ અને મોતિયા સામે રક્ષણ આપે છે. ગાજરના રસથી આંખોની બગડતી દ્રષ્ટિમાં સુધારો થઈ શકે છે. આચાર્યએ ગાજરના સેવનથી કેટલાક ઉપાયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં સાર્વજનિક કર્યા છે. આવો જાણીએ બાલકૃષ્ણએ આપેલી ટિપ્સ.
13 December 2025 Rashifal: Rashifal: આજે આ રાશિના જાતકોનું બદલાશે ભાગ્ય, શનિદેવની મળશે અપાર કૃપા
13 December 2025 Rashifal: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, શનિવાર, 13 ડિસેમ્બર, 2025 ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. કર્ક રાશિના જાતકોનો આજનો દિવસ ખૂબ જ સારો રહેશે. તુલા રાશિના જાતકોને સંબંધોમાં આ દિવસ ભાગ્યશાળી લાગશે. કેટલાક લોકો ઈર્ષ્યાથી તમારી ટીકા કરી શકે છે. ચાલો જાણીએ કે દરેક રાશિ માટે આજનો દિવસ કેવો રહેશે? અને કઈ રાશિવાળા પર શનિદેવ વરસાવશે કૃપા....
રોજે 2.5GB ડેટા અને અનલિમિટેડ 5G: આ રહ્યો Jioનો સૌથી પાવરફુલ વાર્ષિક પ્લાન
Jioએ 2026 માટે ₹3,599 અને ₹3,999ના બે વાર્ષિક પ્લાન લૉન્ચ કર્યા છે, જે 365 દિવસની વેલિડિટી અને દરરોજ 2.5GB ડેટા આપે છે. ₹3,599ના પ્લાનમાં AI યુઝર્સને Pro Google Geminiનું એક્સેસ મળે છે, જ્યારે ₹3,999ના પ્લાનમાં Fancode અને અન્ય OTT લાભો શામેલ છે. બંને પ્લાન અનલિમિટેડ 5G એક્સેસ સાથે આવે છે, જે વારંવારના રિચાર્જની ચિંતામાંથી મુક્તિ અપાવે છે.
Narco Test : પરિવારની સામૂહિક હત્યા અને યુવાનના શંકાસ્પદ મોત કેસની તપાસમાં પોલીસે નાર્કો ટેસ્ટની મંજૂરી માગી, એકમાં મળી
ભાવનગર ત્રિપલ મર્ડર કેસ અને ગોંડલના રાજકુમાર જાટ મોત કેસમાં ગુજરાત પોલીસ આરોપીઓના નાર્કો ટેસ્ટ કરાવવા માટે પ્રયત્નશીલ બનતા એક મામલામાં કથિત આરોપી ગણેશ ગોંડલે સંમતિ આપી છે. જ્યારે હત્યારો એસીએફ શૈલેષ ખાંભલા નાર્કો ટેસ્ટ માટે તૈયાર નથી. શૈલેષ ખાંભલાનો વિરોધ અને ગણેશ ગોંડલની Narco Analysis Test માટેની સંમતિ તેમની સામેના આરોપો અંગે ઘણી બધી સ્પષ્ટતા કરી જાય છે.
Mehsana: યુરોપના સપના જોતા મહેસાણાનો પરિવાર લિબિયામાં બંધક, ખંડણીની માંગણીથી ખળભળાટ
Mehsana ના બાદલપુરાનો ચાવડા પરિવાર યુરોપ જવાના સપના સાથે નીકળ્યો, પરંતુ એજન્ટોએ છેતરીને તેમને પોર્ટુગલના બદલે લિબિયા મોકલી દીધા. ત્યાં તેમને બંધક બનાવીને તેમની મુક્તિ માટે રુ. 2 કરોડ જેટલી તોતિંગ ખંડણીની માંગ કરવામાં આવી રહી છે. પરિવારે મહેસાણા કલેક્ટરને રજૂઆત કરીને ગુજરાત સરકાર પાસે તાત્કાલિક બચાવ અને મદદની આજીજી કરી છે.









